SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ખરેખર છ માસના ઘોર કષ્ટનું મીઠું ફળ તમને હવે મળ્યું છે. ઘણા વખતથી તૃષિતનયનો કૃતાર્થ કરો, પછી આશ્ચર્યકારી બધો મારો વૃત્તાન્ત અયોધ્યાથી નીકળ્યા પછીનો જાણી શકશો. દેવરિવાહન ચંડગહર નામના વૈતાઢ્યના શિખરે ખેચરોએ કરેલ રાજ્યાભિષેક મંગળનો અનુભવ કરી હમણાં જ અહીં પધારેલ છે, ને આ જ બગીચાના મૂખ્ય ભાગમાં છે.” આ સાંભળી દુઃખનો બધો ભાર ઓછો થઈ જવાથી પરમશાંતિ પામેલો સમરકેતુ એકદમ નીચે ઉતર્યો. પેલા મંદિરમાં ગયો, ભમતીમાંની અજીતાદિ તીર્થકરોની પ્રતિમાને વંદન કરી મૂળ નાયક આદિતીર્થપતિને નમી બહાર નીકળ્યો. “આ તરફ, આ તરફ, પધારો” એમ કહી ખભે તલવાર મૂકી આગળ ચાલતાં ગંધર્વક બતાવેલ રસ્તે ચાલ્યો, ને ઉત્તર દિશાને દરવાજેથી બહાર નીકળ્યો. (ાલા.
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy