SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ • ૯૧ કોઈ શ્રેષ્ઠ ભૂચરરાજકુમાર થશે. આ તારી પુત્રી પદ્મહદમાં રહેનારી લક્ષ્મીદેવીની જન્માન્તરની સખી છે. તારા ઘણા જ ભાગ્યને લીધે તેણે તારે ત્યાં જન્મ લીધો છે. માટે એ તિલકમંજરીનું સન્માન કરવું. જાગ્યા પછી તરત જ તેણે અંતઃપુરની સ્ત્રીઓને આભૂષણ પહેરાવવામાં ચતુર, મારી મા, તિલકમંજરીની ધાવમાં, ચિત્રલેખાને બોલાવી, અને કહ્યું- “સખી ચિત્રલેખા ! તું ચિત્ર કાઢવામાં બહુ જ પ્રવીણ છો, ને તિલકમંજરી ચિત્રો જોવાની શોખીન છે. તો ચિત્રવિષયક એક પરીક્ષાનું ધોરણ અંગીકાર કરી અંતઃપુરની સકળ સ્ત્રીઓ પાસે સારા સારા ભૂગોચર રાજકુમારોના સરસ સરસ ચિત્રો કઢાવીને એ બાને કુમારીને બતાવ, ને તેઓની દાનશક્તિ, વૈભવ, ગુણ, વગેરે ખુબ વખાણી વખાણીને તેને સંભળાવ. કેમકે દેવશક્તિ અચિત્ય છે, તેથી કદાચ ક્યાંક એનું મન ચોંટે.” ઠીકએમ કરીશ” એમ કહી ચિત્રકળામાં નિપૂણ અંતઃપુરની ઘણી દાસીઓને તેણે દેશવિદેશ મોકલી દીધી. હું પણ તે વખતે ત્યાં હતો, મને પણ એ જ હુકમ થયો “બેટા ! ગંધર્વક ! તારે પણ આજ કામ કરવાનું છે. તો પણ કોઈ ખાસ કામને લીધે તેને પોતાના પિતાશ્રીને ત્યાં સુવેલગિરિ તરફ જવાનો રાણીશ્રી તરફથી હુકમ થયો છે. એટલે બીજું કંઈ હું કરી શકતી નથી. પણ રાજકાર્યથી પાછા ફરતાં સુવાલાધિપતિ ‘વિચિત્રવીર્ય નરેન્દ્રને “તે દિવસે સમુદ્રથી વીંટાયેલા રત્નકુટ પર્વત પર આવેલા સ્વયંભૂ દિવ્ય જીનમંદિરમાં આપણે મહોત્સવ પ્રસંગે રાત્રે એકઠા થયા હતા તેમાં વાતચીતના
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy