________________
૨૯
હાથમાં દિવી લઈને અનેક અંતઃપુરના નોકરો એકી સાથે જુદો જુદો માર્ગ બતાવતા હતા. છેવટે દરેક રાણીઓને મળી મદિરાવતી પાસે ગયો.
માન આપવા ઉભી થતાં રાણીને ઉતાવળે જઈ હું હું દેવી ! ઉઠવાની જરૂર નથી, બેસો.' એમ કહી પાસેના આસન ઉપર જાતે બેસાડી પોતે મુખ્ય આસન પર બેઠો. વારંગનાઓએ મંગળ ઉતારણ કર્યા. પુરોહિતો સ્વસ્તિ મંગળ કરી ગયા. કુળવૃદ્ધાઓ આંખમાં આંસુ લાવી આશીર્વાદો બોલતી બોલતી ગઈ. કંચુકીઓ પોતપોતાને કામે ચાલ્યા ગયા. થોડીવાર હસામણી વાતો કરી સખીઓ ચાલી ગઈ. અંતઃપુરની શયાપાલીકાઓએ શરીરે ચોપડવાના સુગંધી દ્રવ્યો છીપમાં ઘસી ઉતારી મુક્યાં, મણી દર્પણો કપડાવતી લુછી નાંખ્યા, દીવાઓની દિવેટ સંકોરી, ફૂલ, અત્તર (પટવાસ) પાન-સોપારી, ઝવેરાતના નાના પ્રકારના દાગીના વગેરેથી ભરેલ રકાબીઓ (પટલકા) યોગ્ય સ્થળે ગોઠવી દીધી, ને પછી ચાલી ગઈ. સુગંધી પનો ધુમાડો પણ બહાર નીકળી ગયો.
રાજાએ જરા મુખ નમાવી દરેક અવયવો જોઈ ધીમે ધીમે આનંદ પુલિત મિંદરાવતીના અંગે સ્પર્શ કર્યો, તે ખિન્ન થઈ દયા ઉપજવાથી ધીમે ધીમે કહ્યું:-દેવી ! તમને બહુ દુ:ખ થયું, પણ તમારા માટે જ ચોક્કસ નિશ્ચય કરી દેવારાધન કાર્ય શરૂ કર્યું હતું, છતાં આકરા વ્રત-નિયોથી કેમ નકામું આ સુખી ગાત્ર સુકવી નાખ્યું ?''
મારા ખોળામાં સુનારા તમે પાથર્યા વિના ભોંય પર સુઈ આ ગુલાબ (સ્થલારવિન્દ) જેવા સુકુમાળ શરીરને કેમ કષ્ટ