________________
હા
સાદર સમર્પણ
જેઓશ્રી પરમાત્માના પરમ ઉપાસક હતાં. જેઓશ્રી પરમગુરુદેવના પરમ કૃપાપાત્ર હતાં. જેઓશ્રી શ્રમણોના ભિષ્મપિતામહ હતાં. જેઓશ્રી સંઘએકતાના પ્રખર શિલ્પી હતાં. જેઓશ્રી વૈરાગ્યદેશનામાં દક્ષ હતાં. જેઓશ્રી શિબિરોના આદ્યપ્રણેતા હતાં. જેઓશ્રી આચાર સંરક્ષક હતાં.
જેઓશ્રી અમારા કુટુમ્બના ઉપકારી હતાં.
એવા પરમ ગુરુદેવ ન્યાયવિશારદ, ગચ્છાધિપતિ
પૂ. આચાર્યભગવંત શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના ચરણકમલમાં પુનર્મુદ્રિત થતું આ બીજું પુષ્પ સાદર સમર્પિત કરું છું !
આસોવિદ-૫ બા મ.સા.ની પુણ્યતિથિએ સમાપ્ત કર્યું. તા. ૧૧-૧૦-૨૦૦૬, બુધવાર
ઈ.સ. ૨૦૦૬ કાંદિવલી ચાતુર્માસ
સંપાદક
પૂ. સૂર્ય-શિલ શિશુ મુનિરાજ શ્રી રવિકાંત વિ.