________________
૩૬
પાડતાઃ પણ શૌર્યવંત પુરૂષ સંગ્રામને મોખરે રહીને કાઈથી પાછા હવે નહિ, તેમ ભગવંત મહાવીર એ ઉપસર્ગોથી પાછી નહિ હઠતાં તે બધાને સહન કરતા થકા વિચરતા. (૧૬૪ થી ૧૬૭.)
सप्तम परिच्छेद.
સાધુની દિનચર્યા. [ સંયમન નિર્વાહ કરવા માટે સાધુનાં નિત્ય-નૈમિત્તિક કાર્યોનું કથન ગ્રંથ કાર આ પરિચ્છેદમાં કરે છે. ]
સાધનાં હિનકૃત્ય . ૨૬૮ .. शेषे जागरणं निशोऽन्त्यचरणे स्वाध्याय आवश्यकं । स्वाध्यायः प्रतिलेखनं च यमिनां यामे दिनस्यादिमे ॥ ध्यानं याममितं ततो मधुकरी यामे तृतीये पुनस्तुर्येऽपि प्रतिलेखनं च पठनं सायं दिनांवश्यकम् ॥
સાધુઓની દિનચર્યા. ભાવાર્થ-સાધુઓએ રાત્રિને છેલ્લે પ્રહર બાકી રહે, ત્યારે જાગવું અને તે વખતે સ્વાધ્યાય તથા રાત્રિનું આવશ્યક–પ્રતિક્રમણ કરવું; ત્યારપછી સહવારમાં દિવસના પહેલે પહોરે પ્રતિલેખન અને સ્વાધ્યાય કરવો, દિવસને બીજે પહોરે એક પ્રહર સુધી ધ્યાન ધરવું; ત્રીજે પ્રહ મધુકરીવૃત્તિથી ભિક્ષાહારાદિ શરીર કૃત્ય કરવું; ચોથે પ્રહરે પથારી વગેરેનું પ્રતિલેખન તથા સ્વાધ્યાય કૃત્ય કરવું અને સાંજે દિવસનું આવશ્યક પ્રતિક્રમણ કરવું. (૧૬૮)
વિવેચન-સંયમને સાધનાર તે સાધક અથવા સાધુ અને બ્રહ્મને જાણનાર તે બ્રાહ્મણ. જેણે કર્મસંન્યાસ કરેલ છે તે સંન્યાસી. સંન્યા