SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ પરિગ્રહ જે તે ઉત્તરોત્તર વધારવા લાગે તે તેને સંયમને છેલ્લી સલામ જ કરવી પડે! વળી જ્યારે તે ખોરાકની વસ્તુઓ ખરીદીને ખોરાક તૈયાર કરવા-કરાવવા લાગે છે, ત્યારે તેને અનેક પ્રકારના આરંભ કરવા પડે છે. અને તે મહાવ્રતની દષ્ટિપૂર્વક અહિંસાનું પાલન કરી શકતો નથી. આ બે મોટા દોષો ઉત્પન્ન થવા ન દેતાં દેહને ખોરાક આપવાનું માત્ર એક જ સાધન મિક્ષોત્તમવિધા છે. મને પણ સંન્યાસીઓને એવી જ આજ્ઞા કરે છે કે – __ अनग्निरनिकेत: स्याद ग्राममन्नार्थमाश्रयेत् । અર્થાત–સંન્યાસીએ અગ્નિરહિત રહેવું અર્થાત રાંધવું–રધાવવું નહિ, ગૃહરહિત રહેવું અને માત્ર અન્ન માટે જ વસતિનો આશ્રય લે; અને માત્ર પુરું મિલં–એક સમય ભિક્ષા માંગીને ભોજન કરવું. પરંતુ સંયમીની “ભિક્ષા” એ સામાન્ય “ભીખ” નથી. તે ભિક્ષા શુદ્ધ હોવી જોઇએદેષથી રહિત હોવી જોઈએ અને તે જ “એષણ સમિતિ –વિશુદ્ધતાની તપાસ માટેના નિયમો છે. આ નિયમનો જૈન દૃષ્ટિએ શાસ્ત્રકારે કેવા ફરમાવ્યા છે તે આગળ ઉપર કહેવામાં આવશે. (૧૪૭) [ ભિક્ષા દ્વારા દેહનિવાહ કરવાની આવશ્યકતાનું પ્રતિપાદન કર્યા પછી ગ્રંથકાર શિક્ષાવિધિનું કથન કરે છે અને તે દ્વારા સમિતિના નિયમોનું સક્ષેપે સૂચન કરે છે.] મિક્ષffષા ૨૪. II. भिक्षार्थ गृहिणां गृहे सुविधिना द्वाभ्यां मुनिभ्यां सदा। गन्तव्यं गुरुसम्मतौ दिनकरे सत्येव योग्येक्षणे॥ ग्राह्य प्रासुकमेषणीयमशनं पानीयमेतद्विधं । साध्वर्थ विहितं न तद्यदि भवेन्नाप्यन्यदोषाश्रितम् ॥ ભિક્ષા લેવાને વિધિ. ભાવાર્થ–સૂર્યોદય પછી દિવસના ભાગમાં, યોગ્ય સમયે, ગુરૂ આદિ હોય તો તેમની સંમતિ લઈને બે ભિક્ષુઓએ સાથે મળી વિધિપૂર્વક
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy