SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ સમ ઇંદ્રિયેાદ્વારા થતું વિષ્ણેાનું આગમન રોકવું જોઇએ અને એ રીતે એક મુનિ પેાતાની એ જટિલ પ્રતિજ્ઞાને નિર્વાહ કરી શકે છે. દેષ્ટાંત———એક નિર્જીવ વસ્તુમાં પણ પરિગ્રહબુદ્ધિ રાખવાથી પરિગ્રહ અને મમત્વને પરિવાર કેટલા બધા વધે છે તેનું એક દૃષ્ટાંત છે. એક સાધુ વનમાં પકિટ માંધીને રહેતા હતા, અને એકાદ—એ લગાટીનાં વસ્ત્રા, એકાદ બે તુંબડાં કે એકાદ દશય્યા વિના ખીજો કશે। તેને પરિગ્રહ હતા નહિ. એકદા તેણે જોયું કે જંગલમાંથી પણકુટિમાં આવેલા કાઈ ઉંદરે પેાતાનું લંગાટીનું વસ્ત્ર કે જે ધેાઇને સૂકવ્યું હતું તે કાતરી નાંખીને નિરૂપયાગી બનાવી મૂક્યુ છે, એટલે તેને પાતાનાં વસ્ત્ર-પાત્ર આદિના રક્ષણની ચિંતા થઈ. ઉંદરના ભયથી રહિત થવા માટે તેણે એક ખિલાડી પાળા, એટલે ઉંદરડા કુટિમાં આવતા બંધ થયા અને વસ્ત્ર-પાત્ર સુરક્ષિત રહ્યાં, પરન્તુ હવે ખિલાડીના પાષણ માટે દૂધ જોઇએ તે લાવવાની સાધુને ચિંતા થઈ. વનમાં તે ફળ કે કંદ મળે—દૂધ મળે નહિ, એટલે સાધુએ નગરમાં જઇને એક દૂઝણી ગાય આણી કૅટિના આંગણામાં બાંધી. એ ગાયના દૂધથી બિલાડીનું પોષણ થવા લાગ્યું, પરન્તુ ગાયના પાષણની નવી ચિંતા સાધુને ઉદ્ભવી. ગાયને માટે ધાસ જોઇએ, તે સારૂ પેાતાના સ્થાનની આસપાસની જમીન ખેડીને સાધુએ ત્યાં જીવાર વાવી. જુવારની કડબથી ગાયનું પોષણ કરવાની સાધુની ધારણા હતી; પરન્તુ એ ખેતર ખેડાયલુ જોઇને રાજાના સેવકે જમીનનેા કર લેવા આવ્યા ! સાધુ પાસે ધન હતું નહિ એટલે સેવકે તેને કેદ કરીને રાજા પાસે લઈ ગયા. આ અકિંચન સ.ને કેદી તરીકે જોઇને રાજાને આશ્ચર્ય થયું અને પૂછ્યું કે હે સાવ ! તમારી આ દશા શાથી થઈ ? ” સાધુએ જવાબ દીધો કે “ હે રાજન ! મારી આ દશા કરાવનાર માત્ર એક લંગોટી પ્રત્યેની મારી મમત્વમુદ્ધિ છે. ” એમ કહીને પાતે ઉત્તરાત્તર કેવી રીતે પરિગ્રહબુદ્ધિમાં સપડાતા ગયા તેની કથા સાધુએ કહી સંભળાવી. રાજાને સાધુપર ધ્યા આવી અને તેને મુક્ત કર્યાં, પરન્તુ સાધુએ તત્ક્ષણ જોઈ લીધું કે સંસારમાં મેટી વસ્તુઓ પ્રત્યેનું મમત્વ અને ત્યાગી દશામાં ક્ષુદ્ર વસ્તુઓ પ્રત્યેનુ 66 ·
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy