SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ હિતમાં એવા ઉત્પાત શું ઓછા હાનિકારક છે? અને જ્યાં બે વ્યક્તિઓના સ્વભાવ કે પ્રકૃતિને ભેદ હોય ત્યાં તો માત્ર કુદરતી ગતિને સમજીને જ મૈત્રીભાવનાને ટકાવી રાખવી જોઈએ. સંસારમાં સ્વભાવભેદ આજકાલ સ્થળે સ્થળે અને ક્ષણે ક્ષણે દૃષ્ટિગોચર થતા જ રહે છે, અને પછી અશાન્તિના વાયુ વાય છે. ઘણાકોની ધીરતા અને સ્થિરતા તે વખતે તૂટી જાય છે; પરતુ જે તેઓ એટલી તત્ત્વવિચારણા કરે કે ઃ સ્વમાવો ઉમ્ર અતિ સ નિત્ય ત્તિનમ: અત-જેનો જેવો સ્વભાવ પડ્યો હોય છે તે હમેશાં નહિ નિવારી શકાય તેવો જ રહે છે, તે કદાપિ મંત્રીભાવના તુટવાનો અવસર જ આવે નહિ. (૩૯) [ હવે જૂદા જૂદા ધર્મનાં દેશનાં અને જાતિનાં મનુષ્યોમાં પણ મૈત્રી કેટલી સંભવિત અને સ્વાભાવિક છે, તે ઉદાહરણોથી બતાવવામાં આવે છે ]. वैधादिषु सत्स्वपि न मैत्रीघात: । ४० ॥ वैधयेऽपि सहैव तिष्ठति सदा किं द्रव्यषट्कं न वा। वैदेश्येऽपि चकोरचन्द्रकुमुदे हासो न मैत्र्याः सदा ॥ वैजात्येऽपि वने सहैव तरवस्तिष्ठन्ति वल्ल्यादिभिः। किं त्याज्या मनुजैस्तदा सुखकरी मैत्र्यल्पभेदोद्भवे ॥ વૈધર્માદિ છતાં પણ મૈત્રાને ઘાત થતા નથી. આ ભાવાર્થ-ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યના ધર્મો જુદા જુદા છે છતાં પણ છએ દ્રવ્ય સાથે સાથે આ લેકમાં રહે છે; કુમુદ, ચકર અને ચંદ્ર ભિન્ન ભિન્ન દેશના હોવા છતાં તેમની મિત્રીમાં કોઈ પણ કાળે ઘટાડો થતો નથી. ઝાડ અને લતાઓમાં અનેક જાત હોવા છતાં એક વનમાં સાથે ને સાથે રહે છે; જ્યારે એ પદાર્થો તથા પ્રાણીઓમાં ધર્મભેદ, દેશભેદ કે જાતિભેદ મત્રીબાધક થતું નથી, તે પછી મનુષ્ય સાધારણ ભેદને ઉદય થતાં સુખ કરનારી મિત્રીને ત્યાગ કરે તે શું ઉચિત ગણાય? નહિ જ. (૪૦)
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy