________________
સંસ્કૃતિ વિદ્યામંદિર - અમદાવાદ, શ્રી વિજયગચ્છનો જ્ઞાનભંડાર-રાધનપુર, શ્રીજયવિજય જ્ઞાનભંડાર-સિરોહી, શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર-કોબા, શ્રી ભાભાના પાડાનો ભંડાર-પાટણ, શ્રી દેવશાનો પાડો-વિમલગચ્છીય ઉપાશ્રયનો જ્ઞાનભંડાર-અમદાવાદ તથા ઓરિયેન્ટલ ઈન્સ્ટીટ્યુટ - વડોદરા શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ જ્ઞાનમંદિર-સુરત, અને શ્રી મોહનલાલજી જૈન જ્ઞાનભંડાર - સુરત - આ સર્વ સંસ્થાઓ ધન્યવાદને પાત્ર છે. આ સંસ્થાઓના સંચાલકોનો હું આભારી છું. વિશેષથી પ.પૂ. રાષ્ટ્રસંત આચાર્યદેવ શ્રીમદ્વિજય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજા, પ.પૂ. શાસન પ્રભાવક પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી ગણિવર્ય તથા પ.પૂ. શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્નો બંધુબેલડી - પ.પૂ. મુનિરાજ શ્રી સુયશ-સુજશચંદ્રવિજયજી મ.સા.નું કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું.
ભરત ગ્રાફિક્સ – શ્રી ભરતભાઈના પ્રયત્નોથી ટાઈપસેટીંગ આદિ કાર્ય કુશળતાપૂર્વક પાર પડ્યું છે.
આ સર્જન - સંશોધન - સંપાદન સ્વ-પર કલ્યાણનું નિમિત્ત બને એ જ એક શુભાભિલાષા સાથે... જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્, ક્ષતિનિર્દેશ કરવા માટે બહુશ્રુતોને નમ્ર પ્રાર્થના.
અષાઢ વદ ૧૦ વિ.સં. ૨૦૬૬ અઠવાલાઈન્સ, સુરત.
પ્રાચીન આગમ-શાસ્ત્રોદ્ધારક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો
ચરણ સેવક આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ