SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ (५४) अज्ज आहे गणी हुतो भाविअप्पा बहुस्सुओ । जइऽहं रमंतो परिआए सामण्णे जिणदेसिए ।। અર્થ: જો મેં દીક્ષા ન છોડી હોત, પરમાત્માએ બતાવેલા સાધુપર્યાયમાં રમતો હોત તો આટલા વર્ષો બાદ હું આચાર્ય બની ગયો હોત. શાસ્ત્રોના વાંચનાદિથી મારો આત્મા ખૂબ જ ભાવિત બન્યો હોત. હું બહુશ્રુત હોત. () देवलोगसमाणो अ परिआओ महेसिणं । रयाणमरयाणं च महानरयसारिसो ।। અર્થ : જે મહર્ષિઓ સંયમધર્મમાં લીન બની જાય છે એમને તો આ સાધુપર્યાય દેવલોક જેવો જ થઈ પડે છે. પણ જેઓ આ સંયમમાં લીન નથી બની શકતા તેઓને તો સાધુજીવનની પ્રત્યેક પળ મહાનરકની વેદનાઓનો અનુભવ કરાવે. (५६) धम्माउ भद्रं सिरिओ अवेयं जन्नगिविज्झाअमिवऽप्पते । ___ हीलंति णं दुविहिरं कुसीला दादुढिअं घोरविसं व नागं ।। અર્થ : જે સાધુઓ ચારિત્રધર્મથી ભ્રષ્ટ થાય છે, જ્ઞાન-ધ્યાન-સંયમાદિ લક્ષ્મીઓ વિનાના બને છે એ તો ઓલવાઈ ગયેલા અને માટે જ અત્યંત અલ્પ તેજવાળા અગ્નિ જેવા નિસ્તેજ બને છે. જે ભયંકર ઝેરી સાપના મોઢામાંથી ઝેરની કોથળી નીકળી જાય અને પછી બધા જ પરેશાન કરે. એમ બધા દુર્જનો આ દીક્ષા છોડનારાની હીલના, તિરસ્કાર, મશ્કરી કરે. (५७) इहेवऽधम्मो अयसो अकित्ती, दुन्नामधिज्जं च पिहुज्जणमि । चुअस्स धम्माउ अहम्मसेविणो, संभिन्नवित्तस्स य हिट्ठओ गई ।। અર્થ: એ ઉત્પવ્રજિતને આ લોકમાં ચારિત્રત્યાગ રૂપી મોટો અધર્મ ચોટે છે, ચારે બાજુ અપયશ-અપકીર્તિ ફેલાય છે. લોકોમાં એનું નામ લેવું પણ પાપ ગણાવા મંડાય છે. ધર્મભ્રષ્ટ થયેલા, અધર્મ સેવનારા, મહાવ્રતના વિરાધક એ આત્માની દુર્ગતિ થાય છે. ૧૩૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy