________________
(૧) નવનયીવનધનબિશ્વર્યસમ્પ jલમ્
विनयप्रशमविहीना न शोभते निर्जलेव नही ।। અર્થ : પુરુષ પાસે ભલે ઉત્તમકુળ, અભુત રૂ૫, વાચ્છટા, ભરયૌવન,
પુષ્કળ ધન, કહ્યાગરા મિત્રો અને ઐશ્વર્ય વગેરે હોય તો પણ વિનય
અને પ્રશમ-વૈરાગ્યભાવ વિના આ બધું બિલકુલ ન શોભે. પાણી | વિનાની નદી શોભે ખરી ? (१०) गुर्वायत्ता यस्माच्छास्त्रारम्भा भवन्ति सर्वेऽपि ।।
तस्माद् गुर्वाराधनपरेण हितकाङ्क्षिणा भाव्यम् ।। અર્થ : તમામે તમામ શાસ્ત્રારંભો ગુરુને આધીન છે. ગુરુ શાસ્ત્રો ભણાવે
તો જ ભણી શકાય.) માટે હિતની આકાંક્ષાવાળાએ ગુરુની આરાધના
કરવામાં તત્પર રહેવું જોઈએ. (११) धन्यस्योपरि निपतत्यहितसमाचरणधर्मनिर्वापी ।
गुरुवदनमलयनिसृतो वचनसरसचन्दनस्पर्शः ।। અર્થ : ગુરુની ગાળ ખાનારા શિષ્યો ! તમે દુઃખી ન થશો, કેમકે તમે જે ખોટું
આચરણ કર્યું એ તમારા આત્મામાં ઉત્પન્ન થયેલી ગરમી છે. એને શાંત કરી ઠંડક આપવા માટે ઘસેલા ચંદનનું વિલેપન જરૂરી છે. એ ચંદન તો મલયાચલ પર્વતમાંથી જ મળે. અને એ મલયાચલ પર્વત એટલે જ સદ્ગુરુનું મુખ. ગુરુના કડવા વચનો એ તો ગુરુના મુખરૂપી પર્વતમાંથી નીકળેલ ચંદન છે. આવા ચંદનનો સ્પર્શ તો ધન્ય શિષ્યો
ઉપર જ પડતો હોય છે. (१२) दुष्प्रतिकारौ मातापितरौ स्वामी गुरुश्च लोकेऽस्मिन् ।
तत्र गुरुरिहामुत्र च सुदुष्करतरप्रतिकारः ।। અર્થ : આ લોકમાં ત્રણ વ્યક્તિના ઉપકારનો બદલો વાળવો ઘણો જ કઠિન
છે. (૧) માતા-પિતા, (૨) સ્વામી-માલિક, શેઠ, (૩) સદ્ગર. એમાં ય સદ્ગુરુના ઉપકારનો બદલો વાળવો તો આલોકમાં અને
પરલોકમાં પણ અતિ-અતિ દુષ્કર છે. (१३) विनयव्यपेतमनसो गुरुविद्वत्साधुपरिभवनशीलाः ।
त्रुटिमात्रविषयसङ्गादजरामरवनिरुद्विग्नाः ।।
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પ્રશમરતિ)