________________
यदुपज्ञ पाठशालां, पाठं पाठं हि को न सन्तृप्येत् । को न हि लभेत बोध-मज्ञानान्धं कस्य नो नश्येत् ॥१२॥ आर्यागीतिः
જેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ તથા શાહ રમેશભાઈ બાપાલાલ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ દ્વિ-ત્રમાસિક “પાઠશાળા”ના અંકોને વાંચી, વાંચીને કોણ એવો છે કે તે ખુશ ન થયો હોય, તથા કોણે બોધ ન મેળવ્યો હોય અથવા કોના અજ્ઞાનનો નાશ ન થયો હોય અર્થાત્ બધા જ વાચકો ખુશ થયાતૃપ્ત થયા. સૌએ બોધ મેળવ્યો અને સર્વના અજ્ઞાનનો નાશ થયો. - ૧૨
सकृदपि यद्व्याख्यानं, श्रुत्वा न स्याद्धि कस्य सद्बोधः । बहुसंख्यकाः समासन्, तद्गुणरक्ताश्च लोकेऽस्मिन् ॥१३॥
સં. ૨૦૧૭, અમદાવાદ-પાંજરાપોળ
તેમના વ્યાખ્યાનને એક વાર પણ સાંભળીને બોધ ન થયો હોય એવો કોઈ નથી. તેમના ગુણના રાગી એવા સજ્જનો આ લોકમાં એટલા બધા છે કે તેઓના નામો લખી શકાય એમ નથી. - અર્થાત્ ગણ્યા ગણાય નહિં એટલા બધા ગુણીજનો તેમના ગુણના રાગી છે. - ૧૩
जीवनसद्वृत्तविंशतिका
299