________________
- વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
+ औचित्यं जनमान्यता “તમારી મુહપત્તી મને આપશો ? કોલેજમાં પ્રવચન કરવા જવાનું છે. બધા જૈનેતરો છે. મારી મુહપત્તી મેલી છે. તમારી ચોખ્ખી છે. એટલે જોઈએ છે. બે કલાક પછી આપી દઈશ...”
“અરે, સાહેબજી ! આપ તો વડીલ છો, ઉપકારી છો, આવું પુછવાની કે ખુલાસો કરવાની ક્યાં જરુર જ છે ? આપ મને લાભ આપો.” કહીને નાના સાધુએ વડીલને પોતાની મુહપત્તી આપી અને વડીલની વધુ મેલી મુહપત્તી પોતે લઈ લીધી.
બે કલાક બાદ “લો, આ તમારી મુહપત્તી પાછી !” વડીલે મુહપત્તી પાછી આપતા કહ્યું. “સાહેબજી ! બે દિવસ પછી આપું તો ચાલશે ?” કેમ ?”
“આપની મુખપત્તી મેં બે કલાક વાપરી. એના ઉપર મારું થુંક ઉડ્યું જ હોય. વળી એ મેલી પણ છે. એનો કાપ એક-બે દિવસમાં કાઢીને આપી દઈશ. થુંકવાળી, મેલી મુહપત્તી આપું તો આપની આશાતનાનો દોષ લાગે.”
પણ તો પછી પહેલા તમારી મુહપત્તી મને કેમ આપી ? એ પણ તમારા થુંકવાળી જ હતી ને ?”
“હા જી ! પણ ત્યારે તો આપને જરુર હતી, એટલે હું શી રીતે ના પાડી શકું? અત્યારે તો આપશ્રી પાસે મારી મુહપત્તી રહે એ જ સારું ને ?”
વડીલ સાધુ ખૂબ જ ખુશ થઈ ગયા. નાનકડા સાધુનો આ ઔચિત્ય, વિનય ગુણ એમના અંતરને સ્પર્શી ગયો.
– X - X – “સાહેબજી ! તમને દંડાસનની દસીઓ બાંધતા આવડે છે?' એક નાના સાધુએ મોટા સાધુને પૂછ્યું.
હા ! આવડે છે. કેમ? બાંધવી છે?' મોટાએ જવાબ દીધો. ગચ્છમાં તો એ પણ નાનો સાધુ જ હતો. - “બન્યું એવું કે મેં મારું દંડાસન મળતું ન હતું, એટલે પંન્યાસજી મ.નું દંડાસન વાપર્યું. પણ મને એ મેલું દેખાયું. ઈચ્છા થઈ કે એનો કાપ કાઢીને પાછું આપું. એ માટે દંડાસનની દસીઓ છોડવી તો પડે ને ? પણ એ પાછી બાંધતા નથી આવડતું એટલે તમને પૃચ્છા કરી.'
એમ ત્યારે ! એમ કહોને કે તમને વડીલની ભક્તિ કરવાની ભાવના થઈ છે. તમે દસી છોડી દો, કાપ કાઢી લો, ચોક્કસ હું બાંધી આપીશ.” મોટા સાધુએ ઉત્સાહપૂર્વક જવાબ દીધો.
એ જ દિવસે એ નાના સંયમીએ કાપ કાઢી, દસી બંધાવી પંન્યાસજી મ.ને દંડાસન પાછું