________________
-~~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~~~ દસેક વાગે, ત્યારે આ Free થાય.
એ પછી એ બીજા કર્મગ્રન્થનું પુસ્તક ખોલે. એને એમાં ખૂબ જ રસ પડે છે. સખત મહેનત કરે છે. “રમ્યરેણુ પુસ્તકના આધારે ભણે છે. બધું ગોખે છે, લખે છે(ગાથા નહિ, પણ પદાર્થો પાકા કરે...)
સાહેબજી! આપને આશ્ચર્ય થશે, પણ આ ખરી વાત છે કે એ રોજ રાત્રે બે વાગ્યા સુધી સ્વાધ્યાય કરે છે, સાડા-ત્રણ-ચાર કલાક રાત્રિ સ્વાધ્યાય! પછી ઉધે અને સવારે ૪.૩૦ કે પાંચ વાગે તો ઉઠી જ જાય.
માત્ર અઢિ-ત્રણ કલાકની જ રાતની ઉંઘ ? ચાલી રહે છે ? દિવસે ઝોકા નથી આવતા ? તબિયત પર અસર નથી પહોંચતી ?” મેં આભા બનીને પૂછી લીધું.
છેલ્લા એક મહિનાથી આવું ચાલે છે. દિવસનો ૧ કલાકનો આરામ ઉમેરીએ તો ૨૪ કલાકમાં માત્ર ચાર જ ક્લાકની ઉંઘ! મને પણ આશ્ચર્ય અને ચિંતા બંને થાય છે... પણ હવે જે થાય તે ખરું...”
(પૂ.સાગરસમુદાયના સાધ્વીજી ભ. શીલવર્ષાશ્રીજીના શિષ્યા પૂ.સા.મૈત્રીવર્ષાશ્રીજી ધીમન્તભાઈના સગામાસી મ.સા. થાય. આ પતિ-પત્નીની ઉંમર ૩૮-૩૫ વર્ષની! એકદંરે સારા સુખી! મને જે રવિવારે શંખેશ્વર મળવા આવ્યા, એના આગલા બે દિવસથી એ ભાઈને ૧૦૦૧૦૧ ડીગ્રી તાવ રહેતો હતો. એમાં વળી શનિવારે એમની ચશ્માની દુકાનમાં શોર્ટસર્કીટ થવાથી બે એ.સી.સળગી ગયા, ચાર લાઈટો ગઈ, કમ્યુટર પણ બળ્યું... હજી સાંજે આ પ્રસંગ બન્યો છે.. છતાં બધી પરવા કર્યા વિના, તાવવાળી હાલતમાં પણ રાત્રે દસ વાગે બસમાં બેસીને વહેલી સવારે પાંચ વાગે શંખેશ્વર આવી પહોંચ્યા. “ગુરુભ.ના દર્શન માટેની કેવી તીવ્ર તમન્ના આ જીવોમાં છે...' એ નરી આંખે દેખી શકાય... - સંયમીઓને તો માત્ર એટલું જ કહેવું છે કે...
એક સંસારી, પરિણીત, શોખીન બહેન જો અભ્યાસ માટે આવો ભયંકર પુરુષાર્થ કરતા હોય... તો આપણે તો સંયમી, બ્રહ્મચારી, વૈરાગી... છીએ... આપણો પુરુષાર્થ કેવો હોવો જોઈએ ? જો માત્ર દસ જ વર્ષ સ્વાધ્યાય-માર્ગદર્શિકા પ્રમાણે કે છેવટે સગુના માર્ગદર્શન પ્રમાણે નક્કર અભ્યાસ કરવામાં આવશે, તો સંયમીઓ! તમારું ભવિષ્ય ભવ્ય/અતિભવ્ય ભવ્યાતિભવ્ય બની રહેશે એ નિશ્ચિત હકીક્ત છે.) /
नमोऽस्तु तस्मै तव शासनाय ॥
- ૧ ૨ ૪
-