________________
-~~~-~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ~~~~~~
મારું મન-તન એમના ચરણોમાં અનંતી વંદના અર્ધી રહ્યું. અમે લગભગ એક મહિનો ભીલડીયાજીમાં સાથે રહ્યા.
હકીકતમાં હું, અમે ચાર સાધુઓ માત્ર ૧ જ દિવસ રોકાવાના હતા, છેક ભીલડીયાજીમાં આવ્યા, ત્યાં સુધી આ જ વિચાર હતો કે બીજા દિવસે સવારે વિહાર કરવો. પુષ્કળ ઘરોવાળા ડીસામાં રોકાણ કરવું.
પણ એ વિચાર મેં માંડી વાળ્યો.
અને મને આજે એમ લાગે છે કે મારા મહાપુણ્યોદયે જ મને આ સબુદ્ધિ સુઝાડી. મને એક અતિ ઉત્તમ આચાર્ય ભગવંતના ગુણોનું પાન કરવા મળ્યું...
કેટલીક બાબતો પાછી એવી હોય છે કે જે માત્ર અનુભવી શકાય છે, વર્ણવવી શક્ય નથી હોતી. કદાચ આ પ્રસંગો વાંચનારાને આમાં બહુ વિશિષ્ટતા ન પણ લાગે. કદાચ વાંચનારાઓને આરાધનાની સંખ્યાના મોટા મોટા આંકડાઓ જ આશ્ચર્ય ઉત્પન્ન કરાવનારા બને. પણ મને તો એમ લાગે છે કે આ ગુણો સૌથી મોટું આશ્ચર્ય છે. તમેય ક્યારેક એકાદ મહિનો આ આચાર્ય ભ. સાથે રહેજો... કદાચ તમેય મારી જેમ ખૂબ આનંદ પામશો.
એવી બીજી કેટલીક નાની-મોટી બાબતો...
આચાર્ય પદવી+મોચો પર્યાય+મોટી ઉંમર+મોટી વિરતા હોવા છતાં પણ સવાર અને સાંજ બંને સમયના પ્રતિ... માંડલીમાં જ કરે.
પ્રતિ માં ખર્શી પર બેસવું પડે, પણ આખું પ્રતિ. ઉભા ઉભા કરે.
ચ.સુદ-રના સવારે ૯ ૧૦ વાગે હું પચ્ચ. લેવા માટે તેઓશ્રીને વંદન કરવા માટે એમના મોટા રૂમમાં પ્રવેશ્યો. એક ખુરશી પર બેસીને તેઓશ્રી નવા છપાઈ રહેલા આગમનું મુફ જોઈ રહ્યા હતા, સંશોધન કરી રહ્યા હતા...
તેઓશ્રીને વિક્ષેપ ન પડે, એ રીતે ત્રણ-ચાર પગલા દૂર રહીને મેં વંદન કર્યા. અવાજ ન થવા દીધો, પણ બધા ખમાસમણા ઉભા થઈ થઈને આપ્યા... મારું વંદન પૂર્ણ થયું, પણ એમને કશી ખબર જ નપડી. હા! મેં વંદન પાછળથી કર્યા ન હતા. આગળથી જ, જરાક ક્રોસમાં ઉભા રહીને કરેલા... પણ એમનો ધ્યાનભંગ ન થયો.
મને ખ્યાલ હતો કે “ગુરુના ધ્યાનનો વ્યાઘાત ન થવા દેવાય...” એટલે મેં પચ્ચ. ન માંગ્યું, મારી જાતે લઈને જતો રહ્યો...
એ રાત્રે જયારે મેં પૂ.આ.ભ.ને પૃચ્છા કરી કે “મેં આપને સવારે વંદન કરેલા, એ ખ્યાલ છે ?”
ના, મને કશી ખબર નથી.” સીધોસટ જવાબ! એક રાત્રે એમણે મને પૂછ્યું,
તમારા પૂ.ગ.પતિશ્રીએ તમારા ગુરુદેવને મરણોત્તર એવી યુગપ્રધાન-આચાર્યની પદવી આપી છે... એ વાત સાચી ?”
-
૧૦૮
-