________________
geo] ગ્રં...........સ્તા..વ...ના 3gpg
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૩૬ અધ્યયનમય છે. પૂ. સ્થવિરમહષિઓએ પ્રભુ મહાવીરદેવની અંતિમ ૧૬ પ્રહરની સતત બે દિવસની દેશનામાં છેલ્લે જે ૩૬ અપૃષ્ટ વ્યાકરણને ભુવ્યા { તેનું આ ૩૬ અધ્યયનરૂપે સંકલન કરેલ કહેવાય છે. અને આ કારણથી જ દીવાળીના
અંતિમ બે દિવસમાં આ સૂત્રને બહુધા સ્વાધ્યાય કરાય છે. પૂ. સાધુભગવંતે તથા સાધીજીએ આ અધ્યયનું વાંચન કરે છે તેમજ સભામાં ગૃહસ્થની પાસે તેને સારાંશ પણ કહેવાય છે.
આ રીતે આ ઉત્તરાધ્યયન સૂત્ર, સર્વ ગચ્છમાં સ્વાધ્યાય પાઠરૂપે અતિ પ્રચલિત છે સાધુ, સાધ્વીજી આદિ વાચનારની સંખ્યા વધી અને મેટા ટાઈપવાળું ઉત્તરાધ્યયન સૂત્ર મળવું દુર્લભ થયું. ત્યારે પૂ. આગમેદ્ધારક આચાર્યદેવેશ શ્રી આનંદસાગરસૂરીશ્વરજીમ. શ્રીના શિષ્યરત્ન પૂ. આ. શ્રી સૂર્યોદયસાગર સૂરિજી મહારાજને એક સુવર્ણપણે છાયા વિચાર ઉદ્ભવ્યો કે “ઉત્તરાધ્યયનસૂત્ર મૂળરૂપે મેટાટાઈપમાં અને નીચે તેની જ સંસ્કૃત છાયા સાથે છપાવવામાં આવે તે સ્વાધ્યાયમાં સહુને સુગમતા રહે.”
આ વિચારને તેઓશ્રીએ- શ્રી દેવચન્દ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ ના કાર્યવાહક શ્રીયુત્ મેતીચંદ મગનલાલ ચેકશી મુંબઈવાળાને જણાવી. સેનામાં સુગંધ મળે તેમ તેઓએ પણ તુર્તજ તે વાત વધાવી લીધી ! તેથી આ અંગે સંપાદનકાર્ય કરવાને ઉત્સાહ જાગતાં પ્રત પુસ્તક ભેગાં કરી સંશોધન કરવાપૂર્વક કાર્યની શરૂઆત કરી. “સારા કાર્યમાં સે વિધન એ ઉકત્યનુસાર કેટલાક કારણોને લઈને વિલંબ થવા પામે છતાં આ ગ્રંથનું સંપાદનકાર્ય પૂર્ણતાની ટોચે પહોંચવા પામેલ છે! - પૂજ્ય આ- શ્રી સૂર્યોદયસાગર સૂરિજીમ શ્રીની સાથે આત્મીયતાને ગાઢ સબંધ હોવાથી તેઓએ મને સ્નેહથી-પ્રફસંશોધન અશુદ્ધિસંમાર્જનનું કાર્ય સુપ્રત કર્યું તે અહે ભાગ્ય માનું છું. પૂ. પરોપકારી શાસનકટકે દ્ધારક આચાર્ય ગુરૂદેવશ્રી હંસસાગરસૂરી
શ્વરજી મ. શ્રીની અનન્યકૃપા કરીને નિવિને કામસમાપ્તિ કરવાપૂર્વક અનેક પ્રવૃતિઓમાં છે અટવાયેલ હોવા છતાં તે, આત્મીયમિત્ર પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરસૂરિજીમ. ને યતકિચિત
સંતેષ આપી શક્યા તે બદલ કૃતાર્થતા અનુભવું છું.