SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ નયવિચાર સાબીત થઈ; પણ એની જરૂરીઆત ઉડી કાં ? ' તાત્પ કે નિશ્ચય જેટલી જ જરૂર વ્યવહારની પણ છે. પ્રશ્ન—માત્ર જ્ઞાન કે માત્ર કિયા માનવામાં શું વાંધા આવે છે? ૨૬ ઉત્તર—એમ માનતાં સત્ય માની લેાપ થાય છે. જેમ ઔષધનાં જ્ઞાનમાત્રથી દદી સારી થતા નથી, તેમ માત્ર જ્ઞાનથી મનુષ્ય મુક્તિ સુધી પહોંચી શકતા નથી. અને જેમ ઔષધનાં જ્ઞાન વિના ગમે તેવુ ઔષધ વાટીને પાઈ દેવાથી દર્દ મટતું નથી, તેમ જ્ઞાન વિનાની ગમે તેવી ક્રિયાઓ કરવાથી કમ બ ંધન તૂટતું નથી. એટલે જ્ઞાનપૂર્વક ક્રિયા અને ક્રિયાપૂર્વક જ્ઞાન હાવું જરૂરી છે. પ્રશ્ન—માત્ર દ્રવ્ય અને પાત્ર પર્યાયને માનવામાં પણ કઈ આપત્તિ આવે છે કે શું ? ઉત્તર—એમાં પણ આવી જ આપત્તિ છે. માત્ર દ્રવ્યને પકડીએ અને પર્યાયને છેડી દઈએ તેા વ્યવહારની સિદ્ધિ થાય નહિ અને માત્ર પર્યાયને પકડીએ અને દ્રવ્યને છેડી દઈએ તે મૂળ તત્ત્વની પિછાન થાય નહિ. એક ઉદાહરણથી આ વાત સ્પષ્ટ કરીશુ. કોઈ એમ કહે કે આ સ્ત્રીનાં શરીર પર સેાનું છે, તે તે વીડી રૂપે છે, કાંકણુ રૂપે છે કે હારૂપે છે, એનો બેધ થાય નહિ. તેજ રીતે કંઈ એમ કહે કે આ સ્રીએ કઇંકણુ પહેરેલું છે' તે તે સેાનાનું છે, હાથીદાંતનુ` છે કે પ્લાસ્ટીકનુ છે, તેના મેધ
SR No.022553
Book TitleJain Shikshavali Nayvichar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy