SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સમજાશે. આ ભાઈબંધીમાં અને લાગણીભરી હિલચાલમાં દીનબંધુ એન્યૂઝ, મી. પોલૉક વગેરે-પોતાના દેશના ભલા માટે અસાધારણ પ્રયત્ન કરનારા અને એ દેશના બાહોશ સેવકોના નામ લઈ શકાય તેમ છે. - આ ચર્ચા આટલે રહેવા દઈ હવે મૂળ વિષય ઉપર આવીશું. સ્વદેશી એટલે “આ દેશનાં યંત્રોથી ઉત્પન્ન થયેલ માલનો વપરાશ એ સિદ્ધાંત સ્થિર થાય છે. - સારાંશ કે-પરદેશમાં દૂર દૂર રહેલો જે યંત્રવાદ આજસુધી આ દેશના હસ્તોદ્યોગની પ્રાચીન કારીગીરીને રૂંધતો હતો, તેની સાથે સાથે હવે આ દેશની છાતી ઉપર સ્વદેશીને નામે ચડી બેઠેલો તે યંત્રવાદ વધુને વધુ તેને રૂંધી નાંખશે, તેમાં આશ્ચર્ય શું? તેનું આખરી પરિણામ એ છે કે રડ્યા ખડ્યા પણ પ્રાચીન હસ્તોદ્યોગ જમીનદોસ્ત. જો કે પ્રથમના એ કારીગરોને પ્રથમના જેવી ચીજો બનાવી જાણે તેવા હવે તો રહેવા દીધા નથી. તેઓની કોઈ સ્થિતિ જ સ્થિર રહી નથી. એટલે તેઓ ન ટકે, એ પણ સ્વાભાવિક જ છે. સાણંદ વગેરે પ્રદર્શનોમાં દેશી કારીગીરીને ઉત્તેજન આપવાની વાતો કરી તેવાં પ્રદર્શન તાલુકાઓમાં પણ વ્યાપક કરીને પછી તેને યંત્રોથી ઉત્પન્ન થયેલા માલોની જાહેરાતનાં મથકો બનાવવાની યુક્તિઓ છે. હવે જે વસ્તુ મોટાં કારખાનાંથી બનાવી શકાય તેમ ન હોય, તેમાં યંત્રવાદનો શી રીતે પ્રવેશ કરાવી શકાય? તેને માટે ૩૧
SR No.022550
Book TitleSyadvad Ane Sarvagnata
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2005
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy