________________
(૨)
આધુનિક વિજ્ઞાન અને જૈન તત્ત્વજ્ઞાનની અબાધ્યતા
જૈન શાસ્ત્રોમાં છ દ્રવ્યો અને તેના સ્વભાવ, ગુણો વગેરે જે વર્ણવ્યા છે, તે ત્રણ કાળને માટે એકસરખા જ હોય છે, તેમાં કદી ફેરફાર થઈ શકતો નથી. છ દ્રવ્યમાંના જીવ અને પુદ્ગલ દ્રવ્ય એ બે દ્રવ્યોનાં કાર્યો દરેક માણસો પોતાના અનુભવમાં લઈ શકે છે. બીજાં ચાર દ્રવ્યોની અસર એકાએક સામાન્ય માણસના ખ્યાલમાં આવી શકે તેમ નથી.
પુદ્ગલ દ્રવ્યનાં અનેક પરિણામો અને એ ચેતનશક્તિનાં અનેક કાર્યો સૌ સમજી શકે છે.
ચેતનાશક્તિની વિવિધતા વિશે તો હાલનું વિજ્ઞાન લગભગ અંધારામાં આથડે છે. વિવિધ પ્રાણીઓ ઉપરથી પોતાની
૧૧
.