SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦. તત્ત્વાર્થાધિગમસુત્ર ભાગ-૩) અધ્યાય-૫ | સૂત્ર-૩૦, ૩૧ સૂત્રાર્થ - તભાવનો અવ્યય વસ્તુ પ્રતિક્ષણ અન્ય અવરૂપે થવા છતાં વસ્તુની સત્તાનો અવ્યય, નિત્ય છે. પ/૩૦ ભાષ્ય : यत् सतो भावान व्येति न व्येष्यति तत्रित्यमिति ।।५/३०।। ભાષ્યાર્થ:વત્ .. તન્નતિ છે. જે સના ભાવથી વ્યય પામતું નથી, જે વ્યય પામશે નહિ, તે નિત્ય છે. તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. I૫/૩૦ ભાવાર્થ : સૂત્ર-૨૯માં સનું લક્ષણ કર્યું કે ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યથી યુક્ત સત્ છે તેમાં જે સત્ પદાર્થ સિદ્ધ થયો તે સત્ પદાર્થમાં રહેલ સના ભાવથી નાશ પામતું નથી અને ક્યારેય નાશ પામશે નહીં તેવા પ્રકારનો પદાર્થ નિત્ય છે અર્થાત્ કથંચિત્ ઉત્પાદ-વ્યય યુક્ત એવા ધ્રુવ અંશ એવું સત્ સદા તે સ્વરૂપે જ નિત્ય છે, પરંતુ એકાંતનિત્યવાદી જે રીતે પદાર્થને અપ્રશ્રુતઅનુત્પસ્થિરએકસ્વભાવવાળું નિત્ય માને છે તે રીતે નિત્ય નથી. પ/૨૦ગા. અવતરણિકા: સૂત્ર-૨૯માં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત સત્ છે તેમ કહ્યું. ત્યાં પ્રશ્ન થયો કે ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત એવું સત્ પણ કિંચિત્ કાળ માટે સત્ છે કે સદા રહેનારું છે? તેથી સૂત્ર-૩૦માં કહ્યું કે તેના ભાવ સ્વરૂપ અવ્યય એવું નિત્ય સત્ દ્રવ્ય છે. ત્યાં પ્રશ્ન થાય કે ત્રણ કાળમાં વર્તમારું એવું દ્રવ્ય જો સત્ છે તો સતનું લક્ષણ ઉત્પાદ, વ્યય, ધ્રોવ્ય યુક્ત કેમ કર્યું? અર્થાત્ બ્રૌવ્યયુક્ત સત્ કહેવું જોઈએ; કેમ કે ત્રણ કાળમાં રહેનાર એવા સત્ સાથે ઉત્પાદ-વ્યયનો વિરોધ છે. તેથી કહે છે – સૂત્ર : अर्पितानर्पितसिद्धेः ।।५/३१।। સૂત્રાર્થ : અર્પિત વડે અનર્પિતાની સિદ્ધિ હોવાથી, ઉત્પાદ-વ્યયનો વિરોધ નથી. પ/૩૧II ભાવાર્થ - ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત સત્ છે એ પ્રકારે “સતુનું લક્ષણ કર્યા પછી તે સત્ વસ્તુમાં રહેલા દ્રવ્યના ભાવનો અવ્યય છે, માટે નિત્ય છે એ પ્રકારની અર્પણ કરવાથી તે નિત્ય જ કોઈક સ્વરૂપે અનિત્ય છે
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy