SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ તત્ત્વાર્થાધિગમસુત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૧૫, ૧૬ સૂત્રઃ મધ્યેયમાાતિવુ ગીવાનામ્ ા/કા સૂત્રાર્થ - અસંખ્યય ભાગાદિમાં લોકાકાશના અસંખ્યય ભાગાદિમાં, જીવોનો અવગાહ છે. પ/૧પો ભાષ્ય : लोकाकाशप्रदेशानामसङ्ख्येयभागादिषु जीवानामवगाहो भवति, आ सर्वलोकादिति ।।५/१५ ।। ભાષ્યાર્થ : નોવાશ ..... સર્વનોદિતિ લોકાકાશપ્રદેશના અસંખ્યય ભાગાદિમાં જીવોનો અવગાહ છે-એક જીવનો અવગાહ છે. સર્વ લોક સુધી અવગાહ છે. તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. li૫/૧૫ ભાવાર્થ : જીવોની જઘન્ય અવગાહના એક આકાશપ્રદેશ, બે આકાશપ્રદેશની નથી પરંતુ નિયમાં અસંખ્યાત આકાશપ્રદેશની છે. તેથી સૂક્ષ્મ પણ જીવો અતિ નાની અવગાહનામાં હોય ત્યારે પણ અસંખ્યાત આકાશપ્રદેશની અવગાહનાવાળા છે અને મહાકાયવાળા બને ત્યારે પણ અસંખ્યાત આકાશપ્રદેશની અવગાહનાવાળા છે. તે અવગાહના લોકના અસંખ્યાત ભાગ પ્રમાણ પણ છે, સંખ્યાત ભાગ પ્રમાણ પણ છે અને ઉત્કૃષ્ટથી સર્વલોકવ્યાપી પણ છે. આથી કેવલી સમુદ્યાત વખતે દંડાદિ અવસ્થામાં લોકના સંખ્યાત ભાગમાં એક જીવની અવગાહના પ્રાપ્ત થાય છે અને ઉત્કૃષ્ટથી સર્વલોકવ્યાપી કેવળીના જીવ પ્રદેશો પ્રાપ્ત થાય છે. સર્વ જીવોને આશ્રયીને અવગાહના વિચારીએ તો ચૌદ રાજલોકમાં જીવો વ્યાપી છે. પ/૧પ ભાષ્ય : अत्राह – को हेतुरसङ्ख्येयभागादिषु जीवानामवगाहो भवतीति ? । अत्रोच्यते - ભાષ્યાર્થ : અહીં પૂર્વસૂત્રમાં કહ્યું કે જીવોની અસંખ્યાત ભાગાદિમાં અવગાહના છે એમાં, પ્રશ્ન કરે છે – અસંખ્યય ભાગાદિમાં જીવોનું અવગાહન છે એમાં કયો હેતુ છે ? ત્તિ શબ્દ પ્રશ્નની સમાપ્તિ માટે છે. આમાં પર દ્વારા કરાયેલ પ્રશ્નમાં, ઉત્તર આપે છે – સૂત્ર : प्रदेशसंहारविसर्गाभ्यां प्रदीपवत् ।।५/१६ ।।
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy