SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાવગમસૂત્ર ભાગ-૨) અધ્યાય-૪/ સૂત્ર-૨૩, ૨૪. ૨૨૧ વિશુદ્ધ છે. તેથી તેઓને દયાળુ, ઉચિત પ્રવૃત્તિ કરવાનો સ્વભાવ આદિ ભાવો ઉપર ઉપરમાં અધિક હોવા જોઈએ. છઠ્ઠા દેવલોકથી માંડીને સર્વાર્થસિદ્ધ સુધી શુક્લલેશ્યા છે, તે પણ ઉપર ઉપરમાં અત્યંત વિશુદ્ધ છે. આથી જ બારમા દેવલોક પછી રૈવેયક આદિમાં અત્યંત સ્વસ્થતાપૂર્વક તત્ત્વને ભાવન કરે તેવો જ નિર્મળ અધ્યવસાય બહુલતાએ વર્તે છે અને સર્વાર્થસિદ્ધમાં તે નિર્મળ અધ્યવસાય અત્યંત ઉત્કર્ષવાળો છે, તેમાં પણ તેઓને ભવથી પ્રાપ્ત થયેલ શુભલેશ્યા કારણ કે, આ પ્રકારે અમને જણાય છે. તત્ત્વ બહુશ્રુતો વિચારે. I૪/૨૩| ભાગ - अत्राह - उक्तं भवता-द्विविधा वैमानिका देवाः - कल्पोपपन्नाः कल्पातीताश्च (सू० १८) इति, તતઃ વે વન્ય તિ ?, ગોધ્યતે – ભાષ્યાર્થ: અહીંવૈમાનિક દેવોના વર્ણનમાં, પ્રશ્ન કરે છે – સૂત્ર-૧૮માં તમે કહેલું કે વૈમાનિક દેવો બે પ્રકારના છે – કલ્પોપપત્ર અને કલ્પાતીત. તો તે કલ્પ કયા છે? અહીં કહેવાય છે=ગ્રંથકારશ્રી દ્વારા ઉત્તર અપાય છે – સૂત્ર : प्राग्वेयकेभ्यः कल्पाः ।।४/२४।। સૂત્રાર્થ - રૈવેયકથી પૂર્વે કલ્પવાળા દેવો હોય છે. ll૪/૨૪TI ભાષ્ય : प्राग् ग्रैवेयकेभ्यः कल्पा भवन्ति, सौधर्मादय आरणाच्युतपर्यन्ता इत्यर्थः, अतोऽन्ये कल्पातीताः । ભાષ્યાર્થ: પ્રા ઝવે ... ... શાતીત ગ્રેવેયકથી પૂર્વે કલ્પો કલ્પવાળા દેવતાઓ, હોય છે. સૌધર્મથી માંડીને આરણ-અય્યત સુધી કલ્પવાળા છે, એ પ્રકારનો અર્થ છે. આનાથી સૌધર્મ આદિથી માંડીને આરણ-અર્ચ્યુતથી, અન્ય કલ્પાતીત છે. | ભાવાર્થ સૌધર્મથી માંડી આરણ, અશ્રુત સુધી દેવોમાં સ્વામી-સેવકભાવરૂપ કલ્યો છે. તેથી ઇંદ્રાદિ દશ ભેદો તેમાં પ્રાપ્ત થાય છે. રૈવેયકમાં બધા સ્વતંત્ર છે, સ્વામી-સેવકભાવ જેવું કોઈ નથી. ત્યાં સેવકવર્ગ નહીં હોવા છતાં રૈવેયકના દરેક દેવો માત્ર એકેક હોવા છતાં સુખપૂર્વક સ્વસ્થતાથી તત્ત્વચિંતનાદિ કરે છે.
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy