SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् ५०७ चैकवचनेन दर्शिताः एवं द्विवचनेन चत्वारो विकल्पा नेयाः, जीवौ १ नोजीवौ २ अजीवौ અવયવો/અંશો અને “પ્રદેશ” એટલે સૂક્ષ્મ અવયવો (અંશો)નું ગ્રહણ કરાતું નથી, એમ સમસ્ત અર્થ છે. ચંદ્રપ્રભા કહેવાનો આશય એ છે કે નૈગમ વગેરે નયો વડે અજીવ અને “નોઅજીવ’ શબ્દો ઉચ્ચારેલાં હોય ત્યારે જો મ કાર અને ન એ બે શબ્દો દેશથી નિષેધ કરનારા સ્વીકારાય ત્યારે જ નવા રૂતિ ગળીવઃ એમ જીવનો દેશથી/અંશથી નિષેધ મનાય છે, માટે જીવના દેશ-પ્રદેશો રૂપ અર્થ થાય છે. તેમજ નો સવા રૂતિ નોમનવા એમ અજીવના અંશનો નિષેધ થવાથી અજીવના (= પુદ્ગલ વગેરેના) દેશ-પ્રદેશો એમ અર્થ જણાય છે. કારણ કે, નૈગમાદિ-નયો અંશનું પણ ગ્રહણ સ્વીકારે છે. જ્યારે આ એવંભૂતનય તો સમગ્ર એવા જ અર્થનું ગ્રહણ કરનારો (= સમગ્રાર્થગ્રાહી) છે. એટલે કે “જીવ' એમ બોલાય ત્યારે સમસ્ત જીવનું ગ્રહણ થાય. હવે જ્યારે નવા રૂતિ મેળવદ એમ “જીવનો નિષેધ કરાય ત્યારે પણ સમગ્ર જીવનો જ નિષેધ કરાય પણ આંશિક જીવનો નિષેધ ન થાય, કારણ કે, આ એવંભૂત) નયના મને સંપૂર્ણ વસ્તુથી (દશથી) અંશ અવયવ (દશ) જેવી અલગ વસ્તુ જ નથી. જે અંશ અવયવ (દશ) છે તે સંપૂર્ણવતુ = અવયવી (દેશી) સ્વરૂપ જ છે. માટે અંશનો જ અભાવ છે. (અથવા અંશ(દેશ)એ અંશી = સંપૂર્ણવતુ (દેશી) સ્વરૂપ હોવાથી અંશનો નિષેધ કરવામાં પણ અંશીનો = અવયવીનો = સંપૂર્ણવસ્તુનો જ નિષેધ થાય.) આથી જીવનો નિષેધ કરાય ત્યારે સમગ્ર “જીવ' અર્થનો નિષેધ થાય પણ તેના અંશનો નિષેધ ન થાય. માટે “અજીવ' શબ્દથી જીવથી ભિન્ન પુદ્ગલાદિ જ જણાય પણ જીવના અમુક અંશ (ચોથો ભાગ વગેરે) અર્થ ન જણાય. આ પ્રમાણે તેને મળવા રૂતિ નો નવઃ એમ) “નોઅજીવ'માં અજીવનો નિષેધ કરાય છે ત્યારે પણ સંપૂર્ણ અજીવનો નિષેધ કરાય છે. આથી “જીવ' રૂપ અર્થ જણાય છે. પણ અજીવના (પુદ્ગલાદિના) અંશનો એટલે કે ચોથો ભાગ વગેરે દેશનો અથવા પરમાણુ વગેરે પ્રદેશનો નિષેધ કરાતો નથી. (આમ નો શબ્દ પણ સર્વનો નિષેધ કરનારો જ હોવો ઘટે છે.) આથી એવંભૂત નય એ સમગ્ર = સંપૂર્ણ એવી જ વસ્તુનું ગ્રહણ કરનારો છે, માટે નિષેધ પણ સંપૂર્ણ વસ્તુનો જ થાય એ ન્યાયે આ નયના મતે “અજીવ” અને “નોઅજીવ’ એમ ઉચ્ચારાય ત્યારે બીજા નૈગમ આદિ નયોની જેમ વસ્તુના (જીવના અથવા અજીવના) દેશ અને પ્રદેશો રૂપ અર્થ જણાતો નથી એમ જાણવું. આ રીતે પૂર્વોક્ત ચાર વિકલ્પો એકવચન વડે દર્શાવ્યા છે. જ દ્વિવચન-બહુવચનવડે “જીવ” ઉચ્ચારાતાં એ.વ. પ્રમાણે બોધ એક પ્રેમપ્રભા : હવે જે રીતે એકવચન વડે ચાર વિકલ્પો બતાવ્યા છે તે જ રીતે દ્વિવચન
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy