SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ३५० तत्त्वार्थाधिगमसूत्रम् [ ૦ ૨ पूर्वदृष्टान्ते च परोक्षः प्रकाशस्तावत्त्वेन क्षेत्रान्तरप्राप्तस्य सवितुः संदिग्धः अतः प्रत्यक्षं घटरक्ततादृष्टान्तमुपादिताचार्यः । भा० हीयमानकम्, असङ्ख्येयेषु द्वीपेषु समुद्रेषु पृथिवीषु विमानेषु तिर्यगूर्ध्वमधो वा यदुत्पन्नं क्रमशः परिसंक्षिप्यमाणं प्रतिपतति आ अङ्गुलासङ्ख्येयभागात्, प्रतिपतत्येव वा परिच्छिन्नेन्धनोपादानसन्तत्यग्निशिखावत् । टी० हीयमानकं हीयते क्रमेणाल्पीभवति यत् तद् हीयमानकम्, असङ्ख्येयेषु अतिक्रान्तशीर्षप्रहेलिकागणितेष्विति यावत् । द्वीपा जम्बूद्वीपादयः समुद्रा लवणादयः तेषु કરવો. જેમ કુંભારના નિભાડામાંથી ઘડાને બરાબર પકાવીને બહાર નીકાળેલા હોય પછી ઘરે અથવા તળાવે લઈ જવાય ત્યારે અર્થાત્ તળાવના પાણીમાં ઝબોળાય તો પણ તે ઘડાની લાલાશ (લાલરંગ) નાશ પામતો નથી, તેમ આનુગામિક અવધિજ્ઞાન સમજવું. અર્થાત્ તે પણ અન્ય ક્ષેત્રમાં જનારનું નાશ પામતું નથી. શંકા ઃ એક જ વાત સમજવા બે દૃષ્ટાંત આપવાની શી જરૂર છે? સમાધાન : પહેલાં સૂર્ય-પ્રકાશના ઉદાહરણમાં બીજા ક્ષેત્રમાં ગયેલાં સૂર્યનો પ્રકાશ આપણે માટે પરોક્ષ હોયને તેટલો જ છે કે કેમ ? એ વાત સંદિગ્ધ = શંકાસ્પદ છે, આથી આચાર્ય ભગવંતે પ્રત્યક્ષ એવા ઘડાના લાલ વર્ણનું બીજું દૃષ્ટાંત આપેલું છે. ભાષ્ય ઃ (૩) હીયમાનક : અસંખ્યાત દ્વીપો, સમુદ્રો, પૃથ્વીઓ, વિમાનોને, વિષે, તિર્છા, ઊર્ધ્વ અથવા અધઃ (નીચે તરફ) ઉત્પન્ન થયેલું જે અવધિજ્ઞાન ક્રમે કરીને (ધીમે ધીમે) સંક્ષેપ પામતું છતું અંગુલના અસંખ્યાતમાં ભાગ સુધી પડી જાય છે અથવા તો જેમાં ઇંધનના ગ્રહણની (પ્રક્ષેપની) પરંપરાનો સદંતર છેદ/નાશ થયો છે એવી અગ્નિની શિખાની જેમ સંપૂર્ણ પડી જાય છે નાશ પામે છે, તે હીયમાનક-અવધિજ્ઞાન કહેવાય છે. * દ્રષ્ટાંત સહિત હીયમાન અવધિજ્ઞાન છે પ્રેમપ્રભા : હીયમાન અવધિજ્ઞાન કહેવાય છે. શ્રીયતે – જે ક્રમશઃ હીન થાય, ઘટતું જાય તે “હીયમાનક' કહેવાય. ( પ્રત્યય સ્વાર્થમાં લાગેલો છે.) શીર્ષપ્રહેલિકા નામના અંતિમ સંખ્યય (સંખ્યાત) વિભાગના ગણિતને ઉલ્લંઘી જનારી સંખ્યા તે “અસંખ્યય કહેવાય. દ્વીપ તે જંબુદ્વીપ વગેરે જાણવા. સમુદ્ર = તે લવણ સમુદ્ર વગેરે સમજવા. પૃથ્વી ૨. ટીક્કાનુo | પરિ. ના. મુ. |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy