SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ [X૦ ૨ ३४८ तत्त्वार्थाधिगमसूत्रम् प्रतिषेधोऽनानुगामिकमिति । अर्थमस्य भावयति-यत्रेत्यादिना । यत्र क्षेत्रे प्रतिश्रयस्थानादौ स्थितस्येति कायोत्सर्गक्रियादिपरिणतस्य उत्पन्नम् उद्भूतं भवति तेन चोत्पन्नेन यावत् तस्मात् स्थानान्न निर्याति तावज्जानात्यर्थम् । ततोऽपक्रान्तस्य स्थानान्तरवर्तिनः प्रतिपतति नश्यति । कथमिव ? उच्यते-प्रश्नादेशपुरुषज्ञानवत् । प्रश्नः प्रच्छनं जीवधातुमूलानां तं प्रश्नमादिशतीति प्रश्नादेशः, प्रश्नादेशश्चासौ पुरुषश्चेति प्रश्नादेशपुरुषः, तस्य ज्ञानं तेन तुल्यमेतद् दृश्यम्, पुरुषप्रश्नादेशज्ञानवदित्येवं गमकत्वम्, अथवा प्रश्नादेशप्रधानपुरुषस्तन्निष्ठः तत्परायणस्तस्य ज्ञानं तद्वदिति । का पुनर्भावना ? यथा नैमित्तिकः कश्चिदादिशन् कस्मिंश्चिदेव स्थाने शक्नोति જે અવશ્ય પાછળ જાય તે “અનુગામી’. આ જ શબ્દને મ (મા) શબ્દપૂર્વક કહીએ તો (આ + અનુI) માનુમિ' શબ્દ બને. ( પ્રત્યય સ્વાર્થમાં લાગેલો જાણવો.) અથવા બીજી રીતે – “અનુગમ છે પ્રયોજન જેનું તે અનુગમ-પ્રયોજનવાળું “આનુગામિક કહેવાય. (અનુગામ: પ્રયોગ કર્ય, અનુરામ + રૂV[ પ્રત્યય લાગવાથી બનેલો છે.) તેનો પ્રતિષેધ તે ( માનુIrfમવાર તિ) “અનાનુગામિક કહેવાય. શબ્દનો વિચાર કરીને હવે આનો અર્થનો વિચાર કરતાં ભાષ્યમાં કહે છે - જે ક્ષેત્રમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય ત્યાંથી ખસીને બીજે જાય તો પડી જાય. જે ક્ષેત્ર એટલે ઉપાશ્રય વગેરે સ્થાનોમાં રહેલા અર્થાત્ કાર્યોત્સર્ગની ક્રિયા વગેરે અવસ્થામાં રહેલ વ્યક્તિને ઉત્પન્ન થયું હોય, તે વ્યક્તિ ઉત્પન્ન થયેલાં તે અવધિજ્ઞાન વડે જ્યાં સુધી તે સ્થાનથી બહાર નીકળતો નથી ત્યાં સુધી જાણે છે, એમ અર્થ છે. તે સ્થાનથી નીકળી ગયેલ અર્થાત અન્ય સ્થાનમાં રહેલો હોય તો અવધિજ્ઞાન પડી જાય છે, નાશ પામે છે. પ્રશ્ન : કોની જેમ નાશ પામે છે? આમાં દષ્ટાંત શું છે? જવાબ : પ્રશ્નાદેશપુરુષજ્ઞાનવત્ અર્થાત્ જીવ, ધાતુ, મૂળ વગેરે સંબંધી જે પ્રશ્ન (પૃચ્છા) કરેલ હોય, તેનો આદેશ કરે, જણાવે, ભવિષ્ય-કથન કરે તે (પ્રશ્નાદેશ રૂપ પુરુષ =) પ્રશ્નાદેશપુરુષ કહેવાય. તેનું જે જ્ઞાન, તેના તુલ્ય/સમાન આ અવધિજ્ઞાન હોય છે. આનો સીધો અન્વયપૂર્વકનો અર્થ છે – પુરુષના પ્રશ્નાદેશ કરનારું જે જ્ઞાન, તેના સરખુ આ અનાનુગામિક-અવધિજ્ઞાન હોય છે. અથવા પ્રશ્નાદેશ કરવામાં પ્રધાન પુરુષ એટલે કે પ્રશ્નાદેશમાં = ભવિષ્યનું કથન કરવામાં તત્પર હોય, કુશળ હોય તેવો પુરુષ. તેનું જે જ્ઞાન, તેના સરખુ અનાનુગામી અવધિજ્ઞાન હોય છે. કહેવાનો ભાવ આ છે કે, ૨. સ્વ.પૂ. | નાતીત્યર્થ:- મુ. | ૨. પ૬િ | પૃષ્ઠ મુ. | રૂ. પ૬િ વૈ. | ફેશઃ પુરુ. 5. I
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy