________________
જૈન દાર્શનિક સાહિત્ય
૪૭૧ સાવિજય (વિ.૧૬મી) વાદિવિજયપ્રકરણ જૈનગ્રન્થગ્રન્થકારસૂચીમાંથી
હેતુદર્શનપ્રકરણ જૈનગ્રન્થગ્રન્થકારસૂચીમાંથી સિદ્ધાન્તસાર (વિ.૧૬મી) દર્શનરત્નાકર જૈનગ્રન્થગ્રન્થકારસૂચીમાંથી દયારત્ન (વિ.૧૭મી) ન્યાયરત્નાવલી જૈનગ્રન્થગ્રન્થકારસૂચીમાંથી શુભવિજય (વિ.૧૭મી) તર્કભાષાવાર્તિક જૈનગ્રન્થગ્રન્થકારસૂચીમાંથી
સ્યાદ્વાદમાલા પ્રકાશિત ભાવવિજય (વિ.૧૭મી) પત્રિશત્ જલ્પવિચાર જૈનગ્રન્થગ્રન્થકારસૂચીમાંથી વિનયવિજય (વિ.૧૭મી) નયકર્ણિકા પ્રકાશિત
પત્રિશતુ જલ્પસક્ષેપ જૈનગ્રન્થગ્રન્થકારસૂચીમાંથી યશોવિજય (વિ.૧૮મી) અસહસ્રીવિવરણ પ્રકાશિત
અનેકાન્તવ્યવસ્થા પ્રકાશિત જ્ઞાનબિન્દુ પ્રકાશિત (નવ્યશૈલીમાં) જૈનતર્કભાષા પ્રકાશિત દેવધર્મપરીક્ષા પ્રકાશિત દ્વાત્રિશત્ દ્વાત્રિશિકા પ્રકાશિત ધર્મપરીક્ષા પ્રકાશિત
૧. આ સાધુવિજય તપગચ્છના સોમસુન્દરસૂરિની પરંપરામાં થયેલા જિનહર્ષના શિષ્ય
છે. જિનહર્ષ સુમતિસાધુના શિષ્ય હતા. અને સુમતિસાધુ લક્ષ્મીસાગરના શિષ્ય હતા. વાદિવિજયપ્રકરણ CJPTમાં પ્રકાશિત છે. સોળમી શતાબ્દીમાં જ પ્રમાણસુન્દરની રચના તપગચ્છના પદ્મસુન્દરે કરી છે. પાસુન્દર પામેરુના શિષ્ય હતા અને પદ્મમેરુ આનન્દમેરુના શિષ્ય હતા. બાબર અને હુમાયુએ આનન્દમેરુનું સન્માન કર્યું હતું, અને અકબરે પાસુન્દરનું સન્માન કર્યું હતું. પદ્મસુન્દર કાળધર્મ પામ્યા પછી જ્યારે ઈ.સ.૧૫૮૨માં હીરવિજયસૂરિએ અકબરના દરબારની મુલાકાત લીધી ત્યારે પોતાની પાસે રાખેલો પદ્મસુન્દરનો ગ્રન્થસંગ્રહ સલીમે હીરવિજયસૂરિને સોપી દીધો જે સંગ્રહથી હીરવિજયસૂરિએ આગ્રામાં ગ્રન્થભંડારની સ્થાપના કરી. જુઓ CUPTની પ્રસ્તાવના પૃ.૧૨. પ્રમાણસુન્દર CIPTમાં પ્રકાશિત છે. (અનુવાદક)