________________
૪૨૫
સ્યાદ્વાદ અને સપ્તભંગી
ખાદ્યત્વ અને વન્ધત્વનો વિપર્યાસ કરતા નથી કેમ કે બંને અવસ્થાઓ જુદી છે, અને વન્ધત્વ અને ખાદ્યત્વનો સંબંધ અવસ્થાઓ સાથે છે, તેવી જ રીતે પ્રત્યેક પદાર્થની સ્થિતિ દ્રવ્યપર્યાયાત્મક છે. પર્યાયોની ક્ષણપરંપરા અનાદિથી અનન્ત કાળ સુધી ચાલી જાય છે, ક્યારેય તૂટતી નથી, આ જ તેની દ્રવ્યતા છે, તેનું ધ્રૌવ્ય છે યા નિત્યત્વ છે. નિત્યત્વ યા શાશ્વતપણાથી અકળાવાની આવશ્યકતા નથી. સન્મતિ યા પરંપરાના અવિચ્છેદની દૃષ્ટિએ આંશિક નિત્યતા તો વસ્તુનું નિજરૂપ છે. તેનો ઇનકાર કરી શકાતો નથી. આપ જે કહો છો કે ‘વિશેષતાનું નિરાકરણ થઈ જવાથી બધું સર્વાત્મક બની જશે' તે યોગ્ય નથી કેમ કે બે દ્રવ્યોમા એકજાતીયતા હોવા છતાં પણ સ્વરૂપની ભિન્નતા અને વિશેષતા છે પર્યાયોમાં પરસ્પર ભેદ જ છે, તેથી દહીં અને ઊંટના અભેદની આપત્તિ આપવી એ તો જાણીજોઈને વસ્તુનો વિપર્યાસ કરવો છે. વિશેષતા તો પ્રત્યેક દ્રવ્યમાં છે અને દ્રવ્યના બે પર્યાયોમાં પણ મોજૂદ છે, તેનો ઇનકાર થઈ શકે નહિ.
જ.
પ્રજ્ઞાકર ગુપ્ત તથા અર્ચટ અને સ્યાદ્વાદ
પ્રજ્ઞાકર ગુપ્ત ધર્મકીર્તિના શિષ્ય છે. તે પ્રમાણવાર્તિકાલંકારમાં જૈનદર્શનના ઉત્પાદ– વ્યય-ધ્રૌવ્યાત્મક પરિણામવાદમાં દોષ દર્શાવતાં લખે છે કે ‘જે સમયે વ્યય થાય તે સમયે સત્ત્વ કેવું ? જો સત્ત્વ હોય તો વ્યય કેવો ? તેથી નિત્યાનિત્યાત્મક વસ્તુની સંભાવના નથી. કાં તો તે એકાન્તથી નિત્ય હોઈ શકે કાં તો એકાન્તથી અનિત્ય હોઈ શકે.’૧
હેતુબિન્દુના ટીકાકાર અર્ચટ પણ વસ્તુના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક લક્ષણમાં જ વિરોધ દૂષણનું ઉદ્ભાવન કરે છે. તે કહે છે કે ‘જે રૂપથી ઉત્પાદ-વ્યય છે તે રૂપથી ધ્રૌવ્ય નથી, અને જે રૂપથી ધ્રૌવ્ય છે તે રૂપથી ઉત્પાદ અને વ્યય નથી. એક ધર્મીમાં પરસ્પરવિરોધી બે ધર્મ ન હોઈ શકે.
રે
૧. અથોત્સાવ્યયધ્રૌવ્યયુતં યત્ તત્ સવિષ્યતે । एषामेव न सत्त्वं स्यात् एतद्भावावियोगतः ॥ यदा व्ययस्तदा सत्त्वं कथं तस्य प्रतीयते ? | पूर्वं प्रतीते सत्त्वं स्यात् तदा तस्य व्ययः कथम् ॥ ध्रौव्येऽपि यदि नास्मिन् धीः कथं सत्त्वं प्रतीयते । प्रतीतेरेव सर्वस्य तस्मात् सत्त्वं कुतोऽन्यथा || तस्मान्न नित्यानित्यस्य वस्तुनः संभवः क्वचित् ।
અનિત્યં નિત્યમધવાઽસ્તુ વાસ્તેન યુક્તિમત્ ।। પ્રમાણવાર્તિકાલંકાર, પૃ. ૧૪૨. ૨. ધ્રૌવ્યેળ ઉત્પાત્યયયોર્વિરોધાત્ જસ્મિન્ થર્મિયયોાત્ । હેતુબિન્દુટીકા, પૃ. ૧૪૬.