________________
૪૧૬
જૈનદર્શન (ડાહ્યા) માણસને સમજવા લાયક રહે છે શું? જો ના, તો બ્રહ્મ જે રીતે નિત્યાદિ રૂપે સત અને અનિત્યાદિ રૂપે “અસત છે અને આમ અનેકધર્માત્મક સિદ્ધ થાય છે તેવી જ રીતે જગતના બધા પદાર્થો આ ત્રિકાલાબાધિત સ્વરૂપથી વ્યાપ્ત છે.
પ્રમાતા અને પ્રમિતિ આદિનું જ સ્વરૂપ છે તે સ્વરૂપની દષ્ટિએ જ તો તેમનું અસ્તિત્વ હોય, અન્ય સ્વરૂપોની દષ્ટિએ કેવી રીતે હોઈ શકે ? અન્યથા સ્વરૂપમાંકર્ય થવાથી જગતની વ્યવસ્થાનો લોપ જ થઈ જાય.
પચાસ્તિકાયની પાંચ સંખ્યા છે, ચાર યા ત્રણ નથી આમાં શો વિરોધ છે? જો કહેવામાં આવે કે “પંચાસ્તિકાય પાંચ છે અને પાંચ નથી” તો વિરોધ થાય, પરંતુ અપેક્ષાભેદે તો પંચાસ્તિકાય પાંચ છે, ચાર આદિ નથી. વળી, પાંચે અસ્તિકાય અસ્તિકાયત્વ જાતિ રૂપ એક હોવા છતાં પણ તે તે વ્યક્તિઓની દષ્ટિએ પાંચ પણ છે. તેઓ સામાન્યરૂપે યા જાતિરૂપે એક પણ છે અને વિશેષરૂપે પાંચ પણ છે, એમાં શો વિરોધ છે?
સ્વર્ગ અને મોક્ષ પોતપોતાના સ્વરૂપની દષ્ટિએ છે, નરકાદિના સ્વરૂપની દષ્ટિએ નથી, આમાં શું આપત્તિ છે? “સ્વર્ગ સ્વર્ગ છે, નરક તો નથી' આ તો આપ પણ માનશો. મોક્ષ મોક્ષ જ તો હોય, સંસાર તો ન જ હોય.
અવક્તવ્ય પણ એક ધર્મ છે, જે વસ્તુના પૂર્ણ રૂપની અપેક્ષાએ છે. કોઈ એવો શબ્દ નથી જે વસ્તુના અનેકધર્માત્મક અખંડ રૂપનું વર્ણન કરી શકે. તેથી તે અવક્તવ્ય હોવા છતાં પણ તે તે ધર્મોની અપેક્ષાએ વક્તવ્ય પણ છે અને તે અવક્તવ્ય ધર્મને પણ એટલા માટે જ “અવક્તવ્ય' શબ્દથી વર્ણવવામાં પણ આવે છે. “સ્યાત્ પદ એટલા માટે પ્રત્યેક વાક્ય સાથે લાગી જઈને વક્તા અને શ્રોતા બંનેને વસ્તુના વિરાટ સ્વરૂપની અને વિવલા યા અપેક્ષાની યાદ દેવંડાવતું રહે છે, જેથી લોકો છિછકલાપણાથી વસ્તુના સ્વરૂપ સાથે અડપલાં ન કરે. “પ્રત્યેક વસ્તુ પોતાના સ્વરૂપથી છે, પોતાના ક્ષેત્રમાં છે, પોતાના કાળે છે અને પોતાના ગુણપર્યાયોથી છે, ભિન્ન રૂપોથી નથી' આ એક સીધી સાદી વાત છે જેને આબાલગોપાલ સૌ સહજ રીતે જ સમજી શકે છે. જો એક જ અપેક્ષાએ બે વિરોધી ધર્મો બતાવવામાં આવે તો વિરોધ આવી શકે. એક જ દેવદત્ત જ્યારે બાળપણમાં કરેલાં પોતાના બાલચરિતોનું યુવાનીમાં સ્મરણ કરે છે તો મનમાં લજ્જિત થાય છે પરંતુ જ્યારે વર્તમાન સદાચારને વિચારે છે તો પ્રસન્ન થાય છે. જો દેવદત્તની બાળપણ અને યુવાની બે અવસ્થાઓ ન થઈ હોત અને બંને અવસ્થાઓમાં દેવદત્તનો અન્વય ન હોત તો તેને બાળપણનું સ્મરણ કેવી રીતે થાત? અને શા