________________
૩૯૮
જૈનદર્શન અવક્તવ્ય ભંગનો અર્થ
અવક્તવ્ય ભંગના બે અર્થ થાય છે - એક તો શબ્દના અસામર્થ્યના કારણે વસ્તુના અનન્તધર્મા સ્વરૂપને વચનાગોચર અને તેથી જ અવક્તવ્ય કહેવું એ અને બીજો અર્થ એ કે વિવલિત સપ્તભંગીમાં પ્રથમ અને દ્વિતીય અંગોને યુગપત્ કહી શકવાનું સામર્થ્ય ન હોવાના કારણે અવક્તવ્ય કહેવું એ. પહેલા પ્રકારમાં તે એક વ્યાપક રૂપ છે જે વસ્તુના સામાન્ય પૂર્ણ રૂપ પર લાગુ પડે છે અને બીજો પ્રકાર વિવક્ષિત બે ધર્મોને યુગપત ન કરી શકવાની દૃષ્ટિએ હોવાથી તે એક ધર્મના રૂપમાં આપણી સામે આવે છે અર્થાત્ વસ્તુનું એક રૂપ અવક્તવ્ય પણ છે અને એક રૂપ વક્તવ્ય પણ છે જે શેષ ધર્મો દ્વારા પ્રતિપાદિત થાય છે એટલે સુધી કે “અવક્તવ્ય શબ્દ દ્વારા પણ તેનો સ્પર્શ થાય છે. બે ધર્મોને યુગપતુ ન કહી શકવાની દૃષ્ટિએ જે અવક્તવ્ય ધર્મ ફલિત થાય છે તે તે સપ્તભંગીમાં જુદો જુદો જ છે એટલે કે સત અને અસતને યુગપતું ન કહી શકવાના કારણે જે અવક્તવ્ય ધર્મ હશે તે એક અને અનેકને યુગપતુ ન કહી શકવાના કારણે ફલિત થતા અવક્તવ્ય ધર્મથી જુદો જ હશે. અવક્તવ્ય અને વક્તવ્યને લઈને જે સપ્તભંગી બનશે તેમાનો અવક્તવ્ય ભંગ પણ વક્તવ્ય અને અવક્તવ્યને યુગપતુ ન કહી શકવાના કારણે જ ફલિત થશે, તે પણ એક ધર્મરૂપ જ હશે. સપ્તભંગીમાં જે અવક્તવ્ય ધર્મ વિરક્ષિત છે તે બે ધર્મોને યુગપત કહેવાના અસામર્થ્યના કારણે ફલિત થનારો જ વિવક્ષિત છે. વસ્તુના પૂર્ણરૂપવાળો અવક્તવ્ય પણ જો કે એક ધર્મ જ હોય છે તેમ છતાં પણ તેનો આ સપ્તભંગીવાળા અવક્તવ્યથી ભેદ છે. તેમાં પણ પૂર્ણરૂપે અવક્તવ્યતા અને અંશરૂપે અવક્તવ્યતાની વિવક્ષા કરવામાં આવતા સપ્તભંગી બનાવી શકાય છે. પરંતુ નિરુપાધિ અનિર્વચનીયતા અને વિવક્ષિત બે ધર્મોને યુગપત્ કહી શકવાના અસામર્થ્યથી જન્ય અવક્તવ્યતામાં વ્યાપ્ય-વ્યાપકરૂપે ભેદ તો છે જ. સપ્તભંગીના સાત ભંગોનું વિવરણ
સવિષયક સપ્તભંગીમાં પ્રથમ ભંગ છે – (૧) ચાર્ ગતિ ઘટઃ | તેનો પ્રતિપક્ષી બીજો ભંગ છે (૨) ત્િ નતિ : I યુગપત કહેવાના અસામર્થના કારણે બનતો ત્રીજો ભંગ છે (૩) ચાર્ અવજીવ્યો : I ક્રમથી પહેલા અને બીજાની વિવક્ષા હોતાં બનતો ચોથો ભંગ છે (૪) ચાત્મ ય: ૧૮: પ્રથમ સમયમાં અસ્તિની અને બીજા સમયમાં અવક્તવ્યની ક્રમિક વિવલા હોતાં બનતો પાંચમો ભંગ છે (૫) ચાહું મતિ નવજીવ્યો : / પ્રથમ સમયમાં નાસ્તિની અને બીજા સમયમાં અવક્તવ્યની ક્રમિક વિચક્ષા હોતાં બનતો છઠ્ઠો ભંગ છે (૬) ચન્નતિ