________________
પ્રમાણમીમાંસા
૩૪૫ કાર્યકારણભાવ યા ઉપાદાનોપાદેયભાવ માટે પૂર્વ અને ઉત્તર ક્ષણોમાં વાસ્તવિક સંબધ યા અન્વય માનવો જ જોઈએ, અન્યથા સન્તાનાન્તરવર્તી ઉત્તર ક્ષણની સાથે પણ ઉપાદાનોપાદેયભાવ બનવો જોઈએ. એક વસ્તુ જ્યારે ક્રમશઃ બે ક્ષણોને યા બે દેશોને પહોચે છે યા પ્રાપ્ત કરે છે ત્યારે તેમાં કાલકૃત યા દેશકૃત ક્રમ માની શકાય છે, પરંતુ જે જ્યાં અને જ્યારે ઉત્પન્ન થાય તે ત્યાં અને ત્યારે જ નાશ પામી જાય તો તેનામાં ક્રમ કેવો? અને ક્રમના અભાવમાં યૌગપદ્યની ચર્ચા કરવી જ વ્યર્થ છે. જગતના પદાર્થોના વિનાશને નિર્દેતુક માનીને તેને સ્વભાવસિદ્ધ કહેવો ઉચિત નથી, કેમ કે જેમ ઉત્તરનો ઉત્પાદ પોતાનાં કારણોથી થાય છે તેમ પૂર્વનો નાશ પણ તે જ કારણોથી થાય છે. તેમનામાં કારણભેદ નથી, તેથી વસ્તુતઃ સ્વરૂપભેદ પણ નથી. પૂર્વનો વિનાશ અને ઉત્તરનો ઉત્પાદ બન્ને એક જ વસ્તુ છે. કાર્યનો ઉત્પાદ જ કારણનો વિનાશ છે. જે સ્વભાવભૂત ઉત્પાદ અને વિનાશ છે તે સ્વરસત થતા જ રહે છે. બાકી રહી જાય છે સ્થૂળ વિનાશની વાત, તો સ્થૂળ વિનાશ તો સ્પષ્ટપણે જ કારણોની અપેક્ષા રાખે છે. જ્યારે વસ્તુમાં ઉત્પાદ અને વિનાશ બન્નેય સમાન કોટિના જ ધર્મો છે ત્યારે તે બેમાંથી એકને સહેતુક અને બીજાને નિર્દેતુક કહેવો કોઈ પણ રીતે ઉચિત નથી.
જગતના બધા જ જડ અને ચેતન પદાર્થોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ ચારે પ્રકારના સંબંધો બરાબર અનુભવાય છે. તે સંબંધોમાંથી ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રયાસત્તિઓ વ્યવહારના નિર્વાહ માટે પણ હોય પરંતુ ઉપાદાનોપાદેયભાવ સ્થાપવા માટે તો દ્રવ્યપ્રયાસત્તિને પરમાર્થ જ માનવી જોઈએ અને દ્રવ્યપ્રયાસત્તિ એકદ્રવ્યતાદાભ્યને છોડીને બીજું કંઈ હોઈ શકતી નથી. કાલ્પનિક સત્તાન યા સત્તતિ તેનું સ્થાન લઈ શકતી નથી. આ એકદ્રવ્યતાદાભ્ય વિના તો બધ-મોક્ષ, લેવડ-દેવડ, ગુરુ-શિષ્ય આદિ સમસ્ત વ્યવહારનો લોપ થઈ જાય. “પ્રતીત્યસમુત્પાદ' પોતે જ, જેને પ્રતીત્ય જે સમુત્પાદને પ્રાપ્ત કરે છે તેમનામાં પરસ્પર સંબંધની સિદ્ધિ કરી દે છે. અહીં વળ ક્રિયા માત્ર જ નથી પણ ક્રિયાનો આધાર કર્તા પણ છે. જે પ્રતીય અર્થત અપેક્ષા કરે છે તે જ ઉત્પન્ન થાય છે. તેથી આ એકદ્રવ્યતાદાભ્યદ્રવ્યપ્રયાસત્તિ)નો સ્વીકાર હર હાલતમાં કરવો જ જોઈશે. અવ્યભિચારી કાર્યકારણભાવના આધારે પૂર્વ અને ઉત્તર ક્ષણોની એક સન્નતિ ત્યારે જ બની શકે જ્યારે કાર્ય અને કારણમાં અવ્યભિચારિતાનું નિયામક કોઈ અનુચૂત પરમાર્થ તત્ત્વ સ્વીકારવામાં આવે. વિજ્ઞાનવાદની સમીક્ષા
આ જ રીતે વિજ્ઞાનવાદમાં બાહ્યર્થના અસ્તિત્વનો સર્વથા લોપ કરીને તેને