SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ જૈનદર્શન અપૌરુષેય હોવું એ પ્રમાણતાનું સાધક પણ નથી. ઘણા લૌકિક પ્લેચ્છ આદિ વ્યવહારો - ગાળો, અપશબ્દો વગેરે એવા ચાલ્યા આવે છે કે જેમના કર્તાનું કોઈ સ્મરણ નથી, પરંતુ એટલા માત્રથી તેમને પ્રમાણ ન માની શકાય. “વરે વરે વૈશ્રવણ: ઈત્યાદિ અનેક પદ-વાક્ય પરંપરાથી કર્તાના સ્મરણના વિના જ ચાલ્યાં આવે છે પરંતુ તેઓ પ્રમાણની કોટિમાં પડતાં નથી. પુરાણોમાં વેદને બ્રહ્માના મુખમાંથી નીકળેલા કહ્યા છે, અને એ પણ લખ્યું છે કે પ્રતિમન્વન્તરમાં ભિન્ન ભિન્ન વેદોનું વિધાન થાય છે. “ો વેશ પ્રળિોતિ"* ઇત્યાદિ વાક્ય વેદના કર્તાના પ્રતિપાદક છે જ. જેમ યાજ્ઞવક્યસ્કૃતિ અને પુરાણ ઋષિઓનાં નામોથી અંક્તિ હેવાના કારણે પૌરુષેય છે તેમ કાવ, માધ્યન્દિન, તૈત્તિરીય આદિ વેદની શાખાઓ પણ ઋષિઓના નામથી અંક્તિ થયેલી મળે છે. તેથી તેમને અનાદિ યા અપૌરુષેય કેવી રીતે કહી શકાય ? વેદોમાં કેવળ ઋષિઓનાં જ નામ મળતાં નથી પરંતુ અનેક ઐતિહાસિક રાજાઓ, નદીઓ અને દેશોનાં નામો પણ મળે છે, જે એ વાતનું પ્રમાણ છે કે વેદો તે તે પરિસ્થિતિઓમાં રચાયા છે. બૌદ્ધો વેદોને અષ્ટકઋષિકર્તક કહે છે તો જૈનો વેદોને કાલાસુરકર્તક બતાવે છે. તેથી વેદોના કર્તવિશેષમાં તો વિવાદ હોઈ શકે છે પરંતુ “વેદો પૌરુષેય છે અને તેમનો કોઈ ને કોઈ રચનારો અવશ્ય છે' આ વિવાદની વાત નથી. “વેદોનું અધ્યયન સદા વેદાધ્યયનપૂર્વક જ હોય છે, તેથી વેદ અનાદિ છે આ દલીલ પણ પુષ્ટ નથી, કેમ કે “કણ્વ આદિ ઋષિઓએ કાહવ આદિ શાખાઓની રચના નથી કરી પરંતુ પોતાના ગુરુ પાસેથી ભણીને જ તેમણે તેમને પ્રકાશિત કરેલ છે આ સિદ્ધ કરનાર કોઈ પણ પ્રમાણ નથી. આ રીતે તો એમ પણ કહી શકાય કે મહાભારત પણ વ્યાસે પોતે રચ્યું નથી, પરંતુ અન્ય મહાભારતના અધ્યયનથી તેને પ્રકાશિત કરેલ છે. આ જ રીતે કાલને હેતુ બનાવીને વર્તમાનકાલની જેમ અતીતકાલ અને અનાગતકાલને વેદના કર્તાથી શૂન્ય કહેવો એ બહુ વિચિત્ર તર્ક છે. આ રીતે તો ૧. પ્રતિમન્વનાં વૈવ કૃતિની વિધી મત્સ્યપુરાણ, ૧૪૫.૫૮. ૨. શ્વેતાશ્વતરોપનિષદ્, ૬.૧૮. ૬ 3. सजन्ममरणर्षिगोत्रचरणादिनामश्रुतेः अनेकपदसंहतिप्रतिनियमसन्दर्शनात् । फलार्थिपुरुषप्रवृत्तिविनिवृत्तिहेत्वात्मनाम् શ્રતેશ મનુસૂત્રવત્ પુરુષnઈવ કૃતિ / પાત્રકેસરિસ્તોત્ર, શ્લોક ૧૪.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy