SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા ૨૮૧ કે જે જે વિષયમાં અવિસંવાદક છે તે તે વિષયમાં આમ છે. આતતાના માટે તદ્વિષયકજ્ઞાન અને તે વિષયમાં અવિસવાદકતા યા અવંચકતાનું હોવું જ મુખ્ય શરત છે. તેથી વ્યવહારમાં થનારા શબ્દજન્ય અર્થબોધને પણ એક હદ સુધી આગમપ્રમાણમાં સ્થાન મળી જાય છે. ઉદાહરણાર્થ, કોઈ કલકત્તાને પ્રત્યક્ષ જનારો યાત્રી આવીને કલકત્તાનું વર્ણન કરે તો તે શબ્દોને સાંભળીને વક્તાને પ્રમાણ માનનાર શ્રોતાને જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પણ આગપ્રમાણમાં સામેલ છે. વૈશેષિકો અને બૌદ્ધો આગમજ્ઞાનને પણ અનુમાન પ્રમાણમાં અન્તભૂત કરે છે પણ શબ્દશ્રવણ, સકેતસ્મરણ આદિ સામગ્રીથી, લિંગદર્શન અને વ્યાપ્તિસ્મરણ વિના જ, થનારું આ આગમજ્ઞાન અનુમાન પ્રમાણમાં સમાવિષ્ટ થઈ શકે નહિ. શ્રત યા આગમજ્ઞાન કેવળ આતના શબ્દોથી જ ઉત્પન્ન થતું નથી પરંતુ હાથના ઈશારા આદિ સકેતોથી અને ગ્રન્થની લિપિને વાંચવી આદિથી પણ ઉત્પન્ન થાય છે. એ બધામાં સંકેતસ્મરણ જ મુખ્ય પ્રયોજક છે. શ્રુતના ત્રણ ભેદ અકલંકદેવે પ્રમાણસંગ્રહમાં શ્રુતના ત્રણ ભેદ કર્યા છે - પ્રત્યક્ષનિમિત્તક, અનુમાનનિમિત્તક અને આગમનિમિત્તક. પરોપદેશની સહાયતા લઈને પ્રત્યક્ષથી ઉત્પન્ન થનારું શ્રુત પ્રત્યક્ષપૂર્વક શ્રુત છે, પરોપદેશસહિત લિંગથી ઉત્પન્ન થનારું શ્રુત અનુમાનપૂર્વક શ્રુત છે અને કેવળ પરોપદેશથી ઉત્પન્ન થનારું શ્રુત આગમનિમિત્તક શ્રુત છે. જૈનતર્કવાર્તિકકાર પ્રત્યક્ષપૂર્વક શ્રુતને ન માનીને પરોપદેશ અને લિંગનિમિત્તક આ બે જ શ્રુત માને છે. તાત્પર્ય એ કે જૈન પરંપરાએ આગમપ્રમાણમાં મુખ્યપણે તીર્થકરની વાણીના આધારે સાક્ષાત યા પરંપરાથી નિબદ્ધ ગ્રન્થવિશેષોને લીધા છે છતાં પણ તેના વ્યાવહારિક પક્ષને છોડ્યો નથી. વ્યવહારમાં પ્રામાણિક વક્તાના શબ્દને સાંભળીને યા હસ્તસકેત આદિને જોઈને સતસ્મરણ દ્વારા જે પણ જ્ઞાન ઉત્પન્ન થાય છે તે આગમપ્રમાણમાં સમાવિષ્ટ છે. આગમવાદ અને હેતુવાદનાં ક્ષેત્રો પોતપોતાનાં નિશ્ચિત છે અર્થાત્ આગમના ઘણાખરા અંશો એવા હોઈ શકે છે જ્યાં કોઈ હેતુ યા યુક્તિ ચાલતી નથી. આવા વિષયોમાં યુક્તિસિદ્ધ વચનોની એકકર્તકતાના આધારે યુફત્યસિદ્ધ વચનોને પણ પ્રમાણ માની લેવામાં આવે છે. ૧. યો યત્રાવિસંવાદ્રિવ: ક તત્રમ:, તતઃ પરોડનાસ: | તત્ત્વપ્રતિપવિનવિસંવાદ્રિઃ તર્થજ્ઞાનાતુ | અષ્ટશતી, અષ્ટસહસ્રી, પૃ. ૨૩૬ , ૨. શ્રુતમવિપ્લવં પ્રત્યક્ષાનુમાનામનિમિત્તમ્ પ્રમાણસંગ્રહ, પૃ.૧. ૩. જૈનતર્કવાર્તિક, પૃ. ૭૪.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy