SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ જૈનદર્શન વ્યાપ્તિ પહેલેથી ગૃહીત હોય કે તત્કાલ તેનાથી અનુમાનમાં કંઈ ફરક પડતો નથી. તેથી અર્થપત્તિનો અનુમાનમાં જ અન્તર્ભાવ થઈ જાય છે. સંભવ સ્વતન્ત્ર પ્રમાણ નથી તેવી જ રીતે સંભવ પ્રમાણ જો અવિનાભાવમૂલક છે તો તેનો અન્તર્ભાવ અનુમાનમાં જ થઈ જાય છે. શેરમાં છટાંકની સંભાવના એક નિશ્ચિત અવિનાભાવી માપના નિયમો સાથે સંબંધ ધરાવે છે. જો તે અવિનાભાવ વિના જ થતું હોય તો તેને પ્રમાણ જ ન કહી શકાય. અભાવ સ્વતન્ત્ર પ્રમાણ નથી ૨ મીમાંસકો અભાવને સ્વતન્ત્ર પ્રમાણ માને છે. તેમનું કહેવું છે કે ભાવરૂપ પ્રમેય માટે જેમ ભાવાત્મક પ્રમાણ હોય છે તેમ અભાવરૂપ પ્રમેય માટે અભાવરૂપ પ્રમાણની જ આવશ્યકતા છે.` વસ્તુ સત્ અને અસત્ ઉભયરૂપ છે. તે બેમાંથી સદંશનું ગ્રહણ ઇન્દ્રિય આદિ દ્વારા થઈ જવા છતાં પણ અસદંશને જાણવા માટે અભાવપ્રમાણ અપેક્ષિત છે. જે પદાર્થનો નિષેધ કરવાનો હોય તેનું સ્મરણ કરીને જ્યાં નિષેધ કરવાનો હોય તેનું ગ્રહણ થતાં મનથી જ જે ‘નાસ્તિ’ જ્ઞાન થાય છે તે અભાવ છે. જે વસ્તુરૂપમાં સદ્ભાવના ગ્રાહક પાંચ પ્રમાણોની પ્રવૃત્તિ નથી હોતી તેમાં અભાવના બોધ માટે અભાવપ્રમાણ પ્રવૃત્તિ કરે છે.” જો અભાવને ન માનવામાં આવે તો પ્રાગભાવાદિમૂલક સમસ્ત વ્યવહારનો લોપ થઈ જાય. વસ્તુની પરસ્પર પ્રતિનિયતરૂપમાં સ્થિતિ અભાવને અધીન છે.“ દૂધમાં દહીંનો અભાવ પ્રાગભાવ છે. દહીંમાં દૂધનો અભાવ પ્રÜસાભાવ છે. ઘટમાં પટનો અભાવ અન્યોન્યાભાવ યા ઇતરેતરાભાવ છે. અને ખરવિષાણનો અભાવ અત્યન્તાભાવ છે. ૧. મેયો યદ્રમાવો હિ માનમાવ્યેવમિષ્યતામ્ । भावात्मके यथा मेये नाभावस्य प्रमाणता || તથૈવામાવમેથેડપિ ન માવસ્ય પ્રમાળા |મીમાંસાશ્લોકવાર્તિક, અભાવ, શ્લોક ૪૫-૪૬. ૨. એજન, શ્લોક ૧૨-૧૪. 3. गृहीत्वा वस्तुसद्भावं स्मृत्वा च प्रतियोगिनम् । માનસં નાસ્તિતાજ્ઞાન નાયતે અક્ષાનપેક્ષયા || એજન, શ્લોક ૨૭. ૪. એજન, શ્લોક ૧. ૫. એજન, શ્લોક ૭. ૬. એજન, શ્લોક ૨-૪.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy