________________
જૈનદર્શન
૬૬
‘સત્’ રૂપને ત્રિકાળમાં ક્યારેય છોડતી નથી એટલે ધારાની દૃષ્ટિએ તે શાશ્વત છે, અને પ્રતિક્ષણ પર્યાય નાશ પામે છે એટલે ઉચ્છિન્ન પણ છે. તે ન તો પ્રવાહવિચ્છેદરૂપે ઉચ્છિન્ન છે કે ન તો સદા અવિકારી ટસ્થના અર્થમાં શાશ્વત છે.
વિશ્વની રચના યા પરિણમનના સંબંધમાં પ્રાચીન કાળથી જ અનેક પક્ષો જોવામાં આવે છે. શ્વેતાશ્વતરોપનિષદ્માં` એવા જ અનેક વિચારોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ત્યાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે ‘વિશ્વનું કારણ શું છે ? આપણે બધાં ક્યાંથી ઉત્પન્ન થયા છીએ ? કોના બળ ઉપર આપણે બધાં જીવિત છીએ ? આપણે ક્યાં સ્થિત છીએ ? આપણાં સુખ અને દુઃખમાં કોને અધીન થઈને રહીએ છીએ ?’ ઉત્તર આપવામાં આવ્યો છે કે ‘કાલ, સ્વભાવ, નિયતિ, યદચ્છા (ઇચ્છાનુસાર અટકળપચીસી), પૃથિવ્યાદિ ભૂત, અને પુરુષ આ બધાં જગતનાં કારણ છે એ મત ચિન્તનીય છે. આ બધાનો સંયોગ પણ કારણ નથી. સુખ-દુઃખનો હેતુ હોવાથી આત્મા પણ જગતને ઉત્પન્ન કરવામાં અસમર્થ છે.’
કાલવાદ
આ પ્રશ્નોત્તરમાં જે કાલ આદિ વાદોનો ઉલ્લેખ છે તે મતો આજ પણ વિવિધ રૂપમાં વિદ્યમાન છે. મહાભારતમાં (આદિપર્વ, ૧. ૨૭૨-૨૭૬) કાલવાદીઓનુ વિસ્તૃત વર્ણન છે. તેમાં બતાવ્યું છે કે જગતના સમસ્ત ભાવ અને અભાવ તથા સુખ અને દુઃખ કાલમૂલક છે. કાલ જ સમસ્ત ભૂતોની સૃષ્ટિ કરે છે, સંહાર કરે છે અને પ્રલયને પ્રાપ્ત પ્રજાનું શમન કરે છે. જગતના સમસ્ત શુભ અને અશુભ વિકારોનો ઉત્પાદક કાલ જ છે. પ્રજાઓનો સંકોચ અને વિસ્તાર કાલ જ કરે છે. સૌ સૂઈ જાય છે પરંતુ કાલ જાગતો રહે છે. સર્વ ભૂતોનો તે જ ચાલક છે. અતીત, અનાગત અને વર્તમાન જેટલા પણ ભાવિકારો છે તે બધા જ ભાવવિકારોનું કારણ કાલ જ છે. આમ આ દુરતિક્રમ મહાકાલ જગતનું આદિકારણ છે.
પરંતુ એક, અખંડ, નિત્ય અને નિરંશ કાલ પરસ્પર વિરોધી અનન્ત પરિણમનોનું ક્રમથી કારણ કેવી રીતે હોઈ શકે ? કાલરૂપી સમર્થ કારણ સદા વર્તમાન હોવા છતાં પણ અમુક કાર્ય ક્યારેક થાય, ક્યારેક ન થાય એવી નિયત વ્યવસ્થા કેવી રીતે સંભવી શકે ? વળી, કાલ અચેતન છે, તેમાં નિયામકતા સ્વયં १. कालः स्वभावो नियतिर्यदृच्छा भूतानि योनिः पुरुष इति चिन्त्यम् ।
સંયોગ પાં ન સ્વાત્મમાવાવાભાષ્યનીશ: સુવ:વહેતો: ।। શ્રોતાશ્વતર, ૧.૨. ૨. હ્રાત: મૃગતિ ભૂતાનિ હ્રાત: સંતે પ્રજ્ઞા: ।
જાત: સુપ્તેષુ નાગર્તિ વાતો ત્તિ યુતિમ: ।। મહાભારત, ૧.૨૪૮.