________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
(અર્થાત્ પર્યાયને પ્રધાન બનાવવા પર્યાયાર્થિક નયની અપેક્ષાએ) અનિત્ય છે.
આ રીતે જગતના સઘળાએ પદાર્થો સ્યાદ્વાદની મર્યાદાથી નિયંત્રિત છે. આ સ્યાદ્વાદ (અનેકાંતવાદ) સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયને સમાનરૂપે લાગુ પડે છે. છતાં તેના મૂળ ચાર ભેદ સ્યાદ્વાદમંજરીમાં દર્શાવ્યા છે () તે આ પ્રમાણે છે :અનેકાંતની ચતુર્વિધતાઃ
स्यान्नासि नित्यं सदृशं विरूपं वाच्यं न वाच्यं सदसत्तदेव। विपश्चितां नाथ! निपीततत्त्वसुधोद्गतोद्गारपरम्परेयम् ।।२५।।
અર્થ : હે સર્વજ્ઞ પરમાત્મા! વસ્તુ કથંચિત્ નિત્ય અને અનિત્ય-૧, સદશ અને વિસદશ-૨, વાચ્ય અને અવાચ્ય-૩ તથા સત્ અને અસત્ છે-૪ - આ વચનો અનેકાંતવાદરૂપ તત્ત્વામૃતના પાનથી ઉદ્ભવેલા ઉગારોની પરંપરારૂપ છે. (અર્થાત્ આપે કેવલજ્ઞાન દ્વારા અને કાંતતત્વનું જ્ઞાન કરીને સ્થલ દષ્ટિએ વિરોધી જણાતા ચાર સ્વરૂપોનું આપે પ્રતિપાદન કર્યું છે).
સ્યાસ્પદ અનેકાંતનો સૂચક છે. નિત્ય-અનિત્ય આદિ આઠે પદો સાથે એ અવ્યય જોડવાનો છે. તેથી નીચે પ્રમાણે વિધાનો તૈયાર થશે. ૧. પ્રત્યેક વસ્તુ કથંચિત્ નાશ પામવાના સ્વભાવવાળી હોય છે.
(કથંચિત્ અનિત્ય) ૨. પ્રત્યેક વસ્તુ કથંચિત્ અવિનાશી છે. (કથંચિત્ નિત્ય) ૩. પ્રત્યેક વસ્તુ કથંચિત્ સદશ છે અર્થાત્ સામાન્યરૂપ છે.
4. अनेकान्तवादस्य सर्वद्रव्यपर्यायव्यापित्वेऽपि मूलभेदव्यपेक्षया चातुर्विध्याभिधानद्वारेण भगवतः तत्त्वामृतरसास्वादसौहित्यमुपवर्णयन्नाह - (अवतरणिका - कारिका -२५)