________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
शब्दनयाभासः । अर्पितमभिदधानोऽनर्पितं प्रतिक्षिपन्नर्पितनयाभासः । अनर्पितमभिदधदर्पितं प्रतिक्षिपन्ननर्पिताभासः । लोकव्यवहारमभ्युपगम्य तत्त्वप्रतिक्षेपी व्यवहाराभासः। तत्त्वमभ्युपगम्य व्यवहारप्रतिक्षेपी निश्चयाभासः। ज्ञानमभ्युपगम्यक्रियाप्रतिक्षेपी ज्ञाननयाभासः । क्रियामभ्युपगम्य ज्ञानप्रतिक्षेपी क्रियानयाभास इति ।
૨૩૨
અર્થ : અર્થનું અભિધાન કરવાવાળો અને શબ્દનો નિષેધ કરવાવાળો અભિપ્રાય અર્થનયાભાસ છે.
શબ્દનું અભિધાન કરવાવાળો અને અર્થનો નિષેધ ક૨વાવાળો શબ્દનયાભાસ છે .
અર્પિત અર્થાત્ વિશેષનો સ્વીકા૨ ક૨વાવાળો અને અનર્પિત અર્થાત્ સામાન્યનો નિષેધ કરવાવાળો અર્પિતનયાભાસ છે.
અનર્પિતનો સ્વીકાર કરવાવાળો અને અર્પિતનો નિષેધ કરવાવાળો અનર્પિતનયાભાસ છે.
લોકવ્યવહારનો સ્વીકાર કરીને તત્ત્વનો નિષેધ કરવાવાળો વ્યવહારાભાસ છે .
તત્ત્વનો સ્વીકાર કરીને વ્યવહારનો નિષેધ કરવાવાળો નિશ્ચયાભાસ છે. જ્ઞાનનો સ્વીકાર કરીને ક્રિયાનો નિષેધ ક૨વાવાળો જ્ઞાનનયાભાસ છે. ક્રિયાનો સ્વીકાર કરીને જ્ઞાનનો નિષેધ કરવાવાળો ક્રિયાનયાભાસ છે.