SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો ટબામાં કરે છે, તેનાથી મંતવ્યભેદ સ્પષ્ટ થઈ જશે. કહેવાનો મતલબ એ છે કે, દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિક નય, આ બંને નય નગમાદિ સાત નયોની અંદર કયા કયા નયોમાં સમાય છે, તે વાત ઉપર શ્વેતાંબર આમ્નાયમાં બે આચાર્ય ભગવંતોના અલગઅલગ મત છે. તે બંને મતોની પ્રક્રિયા હવે અહીં સમજીશું 63) નયોનું વિશેષ વર્ણન કરવામાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી અને શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિજીના નામ સુપ્રસિદ્ધ છે. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ વિશેષાવશ્યક મહાભાષ્ય તથા વિશેષણવતી આદિ મહાગ્રંથ બનાવ્યા છે અને તેઓ “સિદ્ધાન્તવાદી” ના રૂપે જૈનશાસનમાં પ્રસિદ્ધ છે. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીએ “સમ્મતિ પ્રકરણ” અને ન્યાયાવતાર આદિ મહાગ્રંથ બનાવ્યા છે અને તેઓ “તર્કવાદી” ના રૂપમાં જૈનશાસનમાં પ્રસિદ્ધ છે. ત્યાર બાદ શ્રીમલ્લવાદીજી, શ્રીહરિભદ્રસૂરિજી, શ્રીવાદિદેવસૂરિજી અને કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી આદિ અનેક મહાત્મા શાસ્ત્ર વિશારદ અને શાસ્ત્ર રચયિતા થયા છે. દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય આ સાત નયોમાંથી કયા કયા નયોમાં કયા કયા નયોનો સમાવેશ થાય, તે વાતમાં ઉપરોક્ત મુખ્ય બંને આચાર્યોના વિચાર અલગ અલગ છે. ત્યાં પ્રથમ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીના વિચાર જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે કેઃ અંતિમ જે નયોના ૩ (ત્રણ) ભેદ છે કે જેના નામ શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય છે, તે ત્રણે નય પર્યાયાર્થિક નય કહેવાય 63. नयमध्ये द्रव्यार्थिक - पर्यायार्थिक भेल्यानी आचार्यमत प्रक्रिया देखाऽई छई - अंतिमा कहतां-छेहला जे ३ भेद शब्द, समभिरुढ, एवंभूतरूप ते पर्यायनय कहिइं, प्रथम ४ नय नैगम, संग्रह, व्यवहार, ऋजुसूत्र लक्षण, ते द्रव्यार्थिकनय कहिई। इम जिनभद्रगणिक्षमाश्रमण प्रमुख सिद्धान्तवादी आचार्य कहई छई। महाभाष्य कहतां विशेषावश्यक, ते मध्ये निर्धारई छई।।८૨૨ા (દ્રવ્ય-ગુખ-પર્યાય-રસ)
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy