________________
૧ ૨૮
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
તે જવાબ આપે છે કે, “પ્રસ્થક બનાવું છું” આ રીતે ભિન્ન-ભિન્ન સ્થળે પૂછાયેલા પ્રશ્નોનાં જે ઉત્તર સુથારે આપ્યા છે. તે બધા જવાબ નૈગમનની અપેક્ષાએ યથાર્થ છે. કારણ કે, નેગમનય ઉપચાર કરીને કથન કરવાવાળો નય છે, ભવિષ્યમાં જે પ્રસ્થક બનવાવાળું છે, તેનો આરોપ તેના પૂર્વકાલીન ભિન્ન-ભિન્ન કારણોમાં કરવામાં આવ્યો છે. - બીજું ઉદાહરણ : ઘરનું
કોઈ પૂછે કે, “આપ ક્યાં રહો છો?” તો તે ઉત્તર આપશે કે “લોકમાં રહું છું'', “લોકમાં પણ ક્યાં રહો છો?” તો કહે છે કે, “મધ્યલોકમાં', મધ્યલોકમાં પણ ક્યાં રહો છો, તો તે કહે છે, “જંબુદ્વીપમાં”, તેમાં પણ ક્યાં રહો છો? તો તે કહે છે કે, “ભરતખંડમાં તેમાં પણ ક્યાં રહો છો? તો તે કહે છે કે, “મધ્યખંડમાં''. તેમાં પણ
ક્યાં રહો છો? તો તે કહે છે કે “હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં અમુક નંબરના બંગલામાં રહું છું.” અને અંતમાં પ્રશ્નોનો ઉપસંહાર કરતા કહે છે કે, મારો આત્મા જેટલા પ્રદેશોમાં રહેલો છે, તેટલા પ્રદેશોમાં હું રહું છું.... આ બધા પ્રકાર-ઉત્તર નગમનયની અપેક્ષાએ યથાર્થ છે. અહીંયાં પૂર્વ-પૂર્વ વાક્ય ઉત્તર-ઉત્તર વાક્યોની અપેક્ષાએ સામાન્ય ઘર્મનો આશ્રય કરે છે. - ત્રીજુ ઉદાહરણ - ગામનું ?
કોઈ મુસાફરો યાત્રા કરતાં કાશી તરફ જતાં હોય, ત્યાં તે કાશીની સીમામાં પ્રવેશ કરે ત્યારે તેમાંથી કોઈ પૂછે કે, “આપણે ક્યાં આવ્યા?” તો જાણકાર કહે છે કે, “આપણે કાશી આવી ગયા.", થોડું આગળ ચાલીએ અને કાશીની બહારના બાગ-બગીચામાં પ્રવેશ કરીએ ત્યારે કોઈ પૂછે કે, “આપણે ક્યાં આવી ગયા?” તો પણ કાશીમાં આવ્યા એવું જાણકાર કહેશે. આ રીતે ગામના કિલ્લાની પાસે, ચોકમાં,