________________
નયવાદ
આજ વાતને વધારે સ્પષ્ટ કરતાં નયોપદેશ ગ્રંથમાં કહ્યું છે કે, બધા પદાર્થ સામાન્ય-વિશેષ ઉભયાત્મક છે અને લોક પ્રસિદ્ધ સામાન્યવિશેષોભયાત્મક પદાર્થનો ગ્રાહક નેગમનાય છે. લોકવ્યવહાર સામાન્યવિશેષ ઉભય સ્વરૂપ વસ્તુથી થાય છે. તેથી લોકપ્રસિદ્ધ અર્થને સ્વીકાર કરવાવાળો નય નૈગમનય કહેવાય છે. સામાન્ય કે વિશેષ બંનેમાંથી એકની પણ કમી કરવામાં આવે તો લોકવ્યવહાર દુર્ઘટ બની જાય છે. 25) કારણ કે, સામાન્ય વિશેષ વિના રહી શકતો નથી. અને વિશેષ સામાન્ય વિના રહી શકતો નથી.
નેગમનને સમજવા માટે શાસ્ત્રમાં 26) પ્રસ્થકાદિ ત્રણ ઉદાહરણ આપ્યા છે. તે ઉદાહરણ ઉપર વિચાર કરવાથી નૈગમનનું સ્વરૂપ એકદમ સ્પષ્ટ થઈ જશે. નગમનયના ઉદાહરણ :પ્રથમ ઉદાહરણ - પ્રસ્થકનું :
પ્રસ્થક (ધાન્ય માપવાનું એક (લાકડાનું) માપ વિશેષ) બનાવવાનો ઈરાદો રાખવાવાળો સુથાર તેને માટે લાકડું લેવા માટે જંગલમાં જતો હોય, ત્યારે રસ્તામાં તેને કોઈ પૂછે કે, “તમે ક્યાં જઈ રહ્યાં છો?” તે સમયે સુથાર જવાબ આપે છે કે, “પ્રસ્થક લેવા જાઉં છું.” જંગલમાં પહોંચીને પ્રસ્થક પ્રાયોગ્ય લાકડું કાપતો હોય, ત્યારે કોઈ પૂછે કે, “તમે શું કાપો છો?” તેના જવાબમાં સુથાર કહે છે કે, “પ્રસ્થક કાપું ” લાકડું લઈને ઘર તરફ પાછા ફરતી વખતે કોઈ પૂછે કે, “શું લઈને આવ્યા છો?”, તો તેના જવાબમાં તે કહે છે કે, “પ્રસ્થક લઈને આવ્યો છું', ઘેર આવીને લાકડામાંથી પ્રથકનો આકાર બનાવતી વખતે કોઈ પૂછે કે, “શું બનાવો છો?” તો
25. તસિદ્ધિ8 સામાન્યવિશેષાદ્યુમયાશ્રય તતસંચારે વ્યવહારો દિ ફુઈટ: Wારા 26. एवं प्रस्थकाद्युदाहरणेष्वपि सिद्धान्तसिद्धेषु भावनीयम्। (अनेकान्त व्यवस्था)