________________
૨૦
છ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા
(iv) બે અજીવોમાં - જ્યારે જીવને બે પ્રતિમા વગેરેને જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન બે અજીવોમાં છે, એમ કહેવાય.
(v) ઘણા જીવોમાં - જ્યારે જીવને ઘણા સાધુઓ વગેરેને જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન ઘણા જીવોમાં છે, એમ કહેવાય.
(vi) ઘણા અજીવોમાં - જ્યારે જીવને ઘણી પ્રતિમાઓ વગેરેને જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન ઘણા અજીવોમાં છે, એમ કહેવાય.
(૩) ઉભયસંનિધાનથી - જ્યારે ઉત્પન્ન થનારા સમ્યગ્દર્શનના આત્મારૂપ અત્યંતર નિમિત્ત અને સાધુ, પ્રતિમા વગેરે રૂપ બાહ્ય નિમિત્તની વિવક્ષા કરાય ત્યારે તે સમ્યગ્દર્શન ઉભયસંનિધાનથી થયું, એમ કહેવાય. ઉભયસંનિધાનથી સમ્યગ્દર્શન આત્મામાં અને બાહ્ય નિમિત્તમાં બંનેમાં હોય છે. અહીં છ વિકલ્પો છે -
(i) જીવમાં અને જીવમાં - જ્યારે જીવને એક સાધુ વગેરેને જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન જીવમાં અને જીવમાં છે, એમ કહેવાય.
(ii) જીવમાં અને અજીવમાં - જ્યારે જીવને એક પ્રતિમા વગેરેને જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન જીવમાં અને અજીવમાં છે, એમ કહેવાય.
(iii) જીવમાં અને બે જીવોમાં - જ્યારે જીવને બે સાધુ વગેરેને જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન જીવમાં અને બે જીવોમાં છે, એમ કહેવાય.
(iv) જીવમાં અને બે અજીવોમાં - જ્યારે જીવને બે પ્રતિમા વગેરેને જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન જીવમાં અને બે અજીવોમાં છે, એમ કહેવાય.