SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ રૌદ્રધ્યાન ગુણઠાણાથી દઢા ગુણઠાણા સુધીના જીવો કહ્યા છે. આર્તધ્યાનનું ફળ તિર્યંચગતિ છે. આર્તધ્યાન અતિસંક્લિષ્ટ નહીં એવી કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યાવાળાને હોય છે. આર્તધ્યાન સંસારનું કારણ છે. (૨) રૌદ્રધ્યાન - પ્રાણીવધ વગેરેનું તીવ્ર અશુભ ચિંતન તે રૌદ્રધ્યાન. તેના ૪ ભેદ છે – (સૂત્ર-૯૩૬) (i) હિંસાનું તીવ્ર પ્રણિધાન. (i) ગાઢ અસત્યનું પ્રણિધાન. (i) ચોરીનું તીવ્ર પ્રણિધાન. (iv) વિષયોના રક્ષણનું તીવ્ર પ્રણિધાન. રૌદ્રધ્યાનના ચાર લક્ષણો છે. તે આ પ્રમાણે - (૧) ઉત્સત્રદોષ - રૌદ્રધ્યાનના ચાર પ્રકારમાંથી એક પ્રકારમાં સતત પ્રવૃત્તિ. (૨) બહુલદોષ - રૌદ્રધ્યાનના ચાર પ્રકારોમાં સતત પ્રવૃત્તિ. (૩) નાનાવિધ દોષ - હિંસા વગેરેના ભિન્ન ભિન્ન પ્રયોગ વારંવાર કરવા. (૪) આમરણદોષ - પોતાના અકાર્યથી પોતાનું કે બીજાનું મરણ થાય તો પણ અકાર્યનો પસ્તાવો ન થવો, અકાર્યથી અટકવું નહીં. રૌદ્રધ્યાન અવિરત અને દેશવિરતને હોય છે, એટલે પહેલા ગુણઠાણાથી પાંચમા ગુણઠાણા સુધીના જીવોને હોય છે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy