SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ગંધનામકર્મ, રસનામકર્મ ૩૩૩ (૪) પીતવર્ણનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર હળદર વગેરેની જેવું પીળુ થાય તે પીતવર્ણનામકર્મ. (૫) શુક્લવર્ણનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર શંખ વગેરેની જેવું સફેદ થાય તે શુક્લવર્ણનામકર્મ. (૧૦) ગંધનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં સારી કે ખરાબ ગંધની પ્રાપ્તિ થાય તે ગંધનામકર્મ. તેના બે ભેદ છે – (૧) સુરભિગંધનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર કપુર વગેરેની જેમ સુગંધવાળુ થાય તે સુરભિગંધનામકર્મ. (૨) દુરભિગંધનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર લસણ વગેરેની જેમ દુર્ગધવાળુ થાય તે દુરભિગંધનામકર્મ. (૧૧) રસનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં તે તે રસની પ્રાપ્તિ થાય તે રસનામકર્મ. તેના પાંચ ભેદ છે – (૧) તિક્તરસનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર લીંબડા વગેરેની જેમ કડવું થાય તે તિક્તરસનામકર્મ. (૨) કટુરસનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર સૂંઠ, મરી વગેરેની જેમ તીખું થાય તે કટુરસનામકર્મ. (૩) કષાયરસનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર આમળા, બેડા વગેરેની જેમ તૂરું થાય તે કષાયરસનામકર્મ. (૪) અસ્લરસનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર આંબલી વગેરેની જેમ ખાટું થાય તે અશ્લરસનામકર્મ. (૫) મધુરરસનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર શેરડી વગેરેની જેમ મધુર થાય તે મધુરરસનામકર્મ. લવણરસનો સમાવેશ મધુરરસમાં થઈ જાય છે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy