________________
નયમાર્ગદર્શક
બધાના હૃદયમાં આહુતધર્મના તત્ત્વનું ઉત્તમ જ્ઞાન આફ્ત થયું હતું, તેથી તેણીના હૃદયમાં સ`ખા 'ખા વગેરે દોષોને અવકાશ મળ તે નહેાતા, તેણીના દૃઢ હૃદયમાં તત્ત્વના નિશ્ચય અચળપણે ધચેલા હતા.
તે કુટુંબ જ્યારે તત્ત્વની ચર્ચા કરવાને બેસતુ, તે વખતે શ’કાશીલ નયચ'દ્ર અનેક પ્રકારની શ`કા કરતા અને તે દોષને લઇને તે થમ તત્ત્વના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નહાતા. શકા વગરની તેની સ્ત્રી સુખાધા ઘણીવાર વિનય અને પ્રાર્થના સાથે પેાતાના શ'કાશીલ પતિને સમજાવતી તેપણુ નયચંદ્ર પોતાના આગ્રહને વશ થઇ તે વાત માન્ય કરતા નહાતા.
એક વખતે ચૈત્ર માસની પૂર્ણિમાના પને વિષે નયચંદ્ર પાતાના કુટુંબને લઇને સિદ્ધગિરિની યાત્રા કરવાને ગયે, તે શકાશીલ હતા, તથાપિ આ તધમ ના પર’પરાના સંસ્કારોને લઈને તેણે શુદ્ધ હૃદયથી યાત્રા કરવા માંડી. હૃદયમાં શંકા આવતી છતાં પૂર્વના સ`સ્કાર ખળે આસ્તાના અંકુરોને પ્રગટાવતા નયચંદ્ર તે મહાપણીને દિ વસે સિદ્ધગિરિના શિખર ઉપર આરૂઢ થયા. ત્યાં જઈ તેણે સ્નાન કરી આદિનાથ પ્રભુની પૂજા કરવાની પ્રવૃત્તિ કરવા માંડી. તેની શુદ્ધ શ્રાવિકા સુબાધા અને પુત્ર જિજ્ઞાસુ પણ તેની સાથે સ્નાનાદિ કરી પૂજા કરવાને તત્પર થયા. સર્વ કુટુંબ પ્રભુની પૂજા ભક્તિમાં તલ્લીન થયું, અને તેમણે વિવિધ ભાવનાથી પ્રભુની પૂજા ભક્તિ કરી.
આ વખતે નયચંદ્રે ત્રિભુવન નાયક આદીશ્વર પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરી—“ હે દયાનિધિ, હૈ સુરાસુરપૂજ્ય, હું મહાપકારી પ્રભુ, આ શકિત શ્રાવકને શરણ આપે, આપના પ્રરૂપેલા સ્યાદ્વાદ સિદ્ધાં ત મારા શકિત હૃદયમાં આરૂઢ થતા નથી, મને તે ઉપર પૂર્ણ શ્રદ્ધા છે, છતાં મારૂ શુદ્ધ હૃદય તે વિષે શંકા કર્યા કરે છે. હું નાથ, આપ કરૂણાના સાગર છે, આપના તે સિદ્ધાંતનુ સ્વરૂપ અને પ્રત્યક્ષ દર્શાવે, અને મારા હૃદયમાં ઉત્પન્ન થતું શ ́કા જાળ દૂર કરશ
ܕܕ