SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ગમે તેટલા વર્ષે કે ભવે વીતે તે પણ બંધેલું શુભ કે અશુભ કર્મ તે એના નિશ્ચિત સમયે ઉદયમાં આવવાનું જ છે. એમાં તે શંકા જ નથી. ૧૮મી ભવમાં કાનમાં તપતુ શીશું રેડાવવાના કારણે ૨૭મા ભવમાં મહાવીરના કાનમાં ખીલા 'ઠેકાયા .., ત્રીજા ભવમાં બાંધેલું કર્મ ર૭ માં ભાવમાં પણ ઉદયમાં તે આવ્યુ જ....વચ્ચે પણ આવ્યુ હતુ. કર્મ તે બંધ ઉદય, ઉદીરણા અને સત્તાના ચારે વિભાગમાં ફરતુ જ છે. કયારેક ઉદયમાં આવે અને જે ઉદયમાં ન પણ આવે તો સત્તામાં પડધુ રહે છે. આજે નહીં તો કાલે. ઉદીરણું અથવા ભેગવીને જે ખપાવ્યું હોય તે તો સવાલ જ નથી. પરતુ ન ખપાવ્યુ હેય તે તે ભેગવવું જ પડશે. શુભકર્મને સુખના ભેગવટામાં, અને પાપરૂપ અશુભકર્મને દુઃખના ભગવટારૂપે પણ ભેગવવુ પડશે. આ પ્રમાણે સુખ-દુઃખ તે નજરે દેખાતા પ્રત્યક્ષ સિદ્ધ છે. તે તેના કારણરૂપે પુણ્ય-પાપ (શુભઅશુભ કર્મ) પણ પ્રત્યક્ષ સિદ્ધ છે. તે તેનાથી અદષ્ટ એવા કર્મની સિદ્ધિ થઈ. અને કર્મની સિદ્ધિ થઈ તે તેના કારણે એની એક ગતિથી બીજી ગતિમાં જવા-આવવારૂપ ગમનાગમન સિદ્ધ થયું. કર્મવશાત એક ગતિ સ્વર્ગની અથવા કર્મવશાત એક ગતિ નરકની પણ મળે છે. સ્વર્ગમાં ઉત્કટ પુણ્યના ઉદયે સુખને જ ભેગવટો વધુ મળે છે. સ્વર્ગમાં સુખની બહલતા છે. પ્રાધાન્યતા છે. એ જ પ્રમાણે એનાથી તદ્દન વિપરીત પાપના ઉદયે નરક ગતિ મળે છે. ઉત્કટ બાંધેલા પાપ જીવને નરક ગતિમાં લઈ જાય
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy