________________
સૂત્ર - ૨૪, સમ: વિર :
४१५
તેનાથી દ્વિતીય સમય ઉત્કૃષ્ટ અધ્યવસાય સ્થાન અનંત ગુણવિશુદ્ધ છે. આ પ્રમાણે ચાલતાં ઠેઠ દ્વિચરમ સમય ઉત્કૃષ્ટ અધ્યવસાય સ્થાન અનંત ગુણવિશુદ્ધ છે. તેના કરતાં પણ ચરમ સમય ઉત્કૃષ્ટ અધ્યવસાય સ્થાન અનંત ગુણવિશુદ્ધ છે.
આનું બીજું નામ નિવૃત્તિ બાદર સંપરાય છે, કેમ કે - અનેક જીવોનું ગુણસ્થાન છે. એટલે એકીસાથે આ ગુણસ્થાનમાં દાખલ થયેલા અનેક જીવોના પરસ્પરના અધ્યવસાય સ્થાનોમાં વ્યાવૃત્તિ ભેદ છે.
૦ વળી એક સમયમાં રહેલ આ અનેક જીવોના અધ્યવસાય સ્થાનો પરસ્પર છ સ્થાન પતિત છે. (૧-અનન્ત ભાગવૃદ્ધિ, ૨-અસંખ્યાત ભાગવૃદ્ધિ, ૩-સંખ્યાત ભાગવૃદ્ધિ, ૪-અસંખ્યાત ગુણવૃદ્ધિ, પઅસંખ્યાત ગુણવૃદ્ધિ અને ૬-અનંત ગુણવૃદ્ધિ રૂપ છ સ્થાનોમાં રહેલા છે.
પ્રસંગોપાત ક્ષપણશ્રેણી-ઉપશમશ્રેણીનું સંક્ષેપમાં સ્વરૂપવર્ણન૦ આઠ વર્ષ ઉપર વર્તતો વજઋષભનારાચ સંઘયણવાળો, શુક્લધ્યાનમાં અર્પિત મનવાળો, અવિરત દેશવિરત અને પ્રમત્ત-અપ્રમત્ત સંયતોમાંથી કોઈ એક પુરુષ (આત્મા) કેવળીકામમાં ક્ષપકશ્રેણીનો સ્વીકારનાર થાય છે. ફક્ત જો અપ્રમતસંયત પૂર્વધર હોય તો શુક્લધ્યાની, બાકીના સર્વે ધર્મધ્યાની હોય છે.
અનંતાનુબંધી વિસંયોજનાનું સ્વરૂપ૦ હવે પહેલાં અનંતાનુબંધી પણ કહેવાય છે, કેમ કે-શ્રેણી સ્વીકારનારને પહેલાં અવશ્ય અનંતાનુબંધીની વિસંયોજના આવશ્યક છે.
૦ અનંતાનુબંધીઓનો વિસંયોજક ચારેય ગતિના પર્યાપ્ત અધિકારી) જીવો, ત્યાં પણ દેવ અથવા નારકી અવિરત સમ્યગ્દષ્ટિ, તિર્યંચપંચેન્દ્રિય = સર્વ પર્યાપ્તિઓથી પર્યાપ્ત અને અવિરત સમ્યગ્દષ્ટિ, અથવા તિર્યચપંચેન્દ્રિય = સર્વ પર્યાપ્તિઓથી પર્યાપ્ત અને દેશવિરત, મનુષ્ય તો = અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત, અથવા સર્વવિરત હોય છે.
૦ ત્યાં સંભવ પ્રમાણે વિશુદ્ધ પરિણામવાળો અનંતાનુબંધીઓના ક્ષપણ માટે યથાપ્રવૃત્તિ, અપૂર્વ અનિવૃત્તિ રૂપ ત્રણ કારણો કરે છે, અંતરકરણ કરતો નથી. એથી જ પ્રથમ સ્થિતિને પણ કરતો નથી. ક્ષય કરવાનો હોવાથી ઉપશમ પણ થતો નથી. તે અનંતાનુબંધીઓનો ગુણસંક્રમ અહીં અપૂર્વકરણના પ્રથમ સમયથી પ્રવર્તે છે. તે આ પ્રમાણે – તેવા પ્રથમ સમયમાં જ અનંતાનુબંધીઓના દલિકને શેષ કષાય રૂપ પરપ્રકૃતિમાં થોડો સંક્રમાવે છે. બીજા સમયમાં તેનાથી અસંખ્યાતાગુણો સંક્રમ, ત્રીજા સમયમાં તેનાથી પણ અસંખ્યાતગુણો સંક્રમ ઠેઠ અપૂર્વકરણના છેલ્લા સમય સુધી અસંખ્યાતગુણો સંક્રમ થાય છે. આ ગુણસંક્રમ સમજવો.
૦ અપૂર્વકરણમાં ઉદ્ગલના સંક્રમથી (સ્થિતિની અપેક્ષાએ ઘણાય પ્રથમ સ્થિતિરૂપ ખંડનું અને વિશેષવિશેષહીન એવા દ્વિતીય આદિ સ્થિતિરૂપ ખંડોનું ઘાતન, તેનાથી બનેલો જે ઉદૂવલના સંક્રમ તેથી) સહિત ગુણ સંક્રમ દ્વારા, અનંતાનુબંધીઓને શેષ પ્રકૃતિરૂપે વ્યવસ્થિત કરી (પરિણાવી) વિનાશ કરે છે.
૦ ઉદ્વલના સંક્રમમાં તો પહેલા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ઉપરના પ્રથમ સ્થિતિખંડને અન્તર્મુહૂર્તના કાળમાં ઉમેરે છે, અર્થાત્ વિનાશ પમાડે છે.