________________
સૂત્ર - ૧-૬, પશ્ચમઃ નેિ
२३१
ज्ञानावरणविशेषेष्वपि उत्कृष्टावधिग्रहणेन लक्षणं द्रव्यार्थिकप्राधान्याद्येोजनीयम् । पर्यायनयप्राधान्यविवक्षायान्तु यावन्मूर्त्तद्रव्यमात्रविषयकप्रत्यक्षज्ञानवृत्तिज्ञानत्वसाक्षाद्व्याप्यधर्म
वदावरणकारणत्वे सति कर्मत्वं लक्षणम्, तादृशो धर्मोऽवधित्वमेव, नत्वनुगामित्वादिकं, तेन विभङ्गज्ञानावरणादौ नाव्याप्तिः । देशघातीदम् । स्थिती मतिज्ञानावरणवत् ॥
અવધિજ્ઞાનાવરણનું લક્ષણ જણાવે છે
ભાવાર્થ- ઈન્દ્રિયાનિન્દ્રિયની અપેક્ષા વગર, રૂપી દ્રવ્યના વિષયવાળું પ્રત્યક્ષ જ્ઞાનાવરણનું કારણ કર્મ ‘અવધિજ્ઞાનાવરણ.’
વિવેચન- ઈન્દ્રિયાનિન્દ્રિય નિરપેક્ષ મૂર્તદ્રવ્યવિષયક પ્રત્યક્ષ જ્ઞાનાવરણ નિદાનત્વ વિશિષ્ટ કર્મત્વ ‘અવધિજ્ઞાનાવરણ’નું લક્ષણ છે.
પદકૃત્ય- વિશેષણનું અને વિશેષ્યનું પદકૃત્ય પૂર્વની માફક સમજવું. મતિજ્ઞાનાવરણ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘ઇન્દ્રિયાનિન્દ્રિય નિરપેક્ષ' રૂપ વિશેષણ પ્રત્યક્ષનું મૂકેલ છે, કેમ કે-તે મતિજ્ઞનાવરણાદિ, ઘટ આદિ રૂપ યત્કિંચિત્ દ્રવ્યવિષયક વ્યાવહારિક પ્રત્યક્ષ જ્ઞાનાવરણ નિદાન કર્મ રૂપ છે.
જો અહીં પ્રત્યક્ષ પદથી પારમાર્થિક પ્રત્યક્ષનું ગ્રહણ હોઈ દોષ નથી એમ કહેવામાં આવે, તો પારમાર્થિક પ્રત્યક્ષના સૂચન માટે જ ‘ઈન્દ્રિયાનિન્દ્રિય નિરપેક્ષ રૂપ પદ મૂકેલ છે એમ સમજવું.
જો પારમાર્થિક પ્રત્યક્ષના ગ્રહણ માટે જ ‘ઈન્દ્રિયાનિન્દ્રિય નિરપેક્ષ' પદ મૂકેલ છે એમ કહો, તો પણ ‘મન:પર્યવાવરણ આદિમાં અતિવ્યાપ્તિ છે, કેમ કે- તે મન:પર્યવ જ્ઞાનાવરણ આદિ, મૂર્ત એવા મનોદ્રવ્યના વિષયવાળા પારમાર્થિક પ્રત્યક્ષ જ્ઞાનના આવરણ કારણકર્મ છે. વળી કેવલજ્ઞાનાવરણમાં પણ અતિવ્યાપ્તિ છે, કેમ કે- સકલ એવા મૂર્તદ્રવ્યના વિષયવાળા પારમાર્થિક પ્રત્યક્ષ જ્ઞાનાવરણ કારણકર્મ કેવલજ્ઞાનાવરણ છે.’ આમ નહિ માનવું, કેમ કે- અમૂર્તદ્રવ્યવિષયક પારમાર્થિક પ્રત્યક્ષ જ્ઞાનાવરણ કારણત્વ વિશિષ્ટ કર્મત્વ, એ લક્ષણનો અર્થ સમજવો.
ઉત્કૃષ્ટ (પરમ) અવધિનું ગ્રહણ કરીને હીયમાન-વર્ધમાન-અનવસ્થિત-અવધિજ્ઞાનાવરણ વિશેષોમાં પણ દ્રવ્યાર્થિક નયની પ્રધાનતાની અપેક્ષાએ લક્ષણની યોજના કરવી.
પર્યાયનયની પ્રધાનતાની વિવક્ષામાં તો ‘અમૂર્તદ્રવ્યાભિન્ન સકલ મૂર્તદ્રવ્યવિષયક પારમાર્થિક પ્રત્યક્ષ જ્ઞાનવૃત્તિ જ્ઞાનત્વ સાક્ષાર્ વ્યાપ્ય ધર્મ (અવધિજ્ઞાનત્વ રૂપ ધર્મવાન્-અવધિજ્ઞાનાવરણ કારણત્વ વિશિષ્ટ કર્મત્વ’- એવું લક્ષણ છે. તાદેશ ધર્મ જ (અવધિજ્ઞાનત્વ) છે પરંતુ અનુગામીત્વ આદિ નથી, કેમ કે-સાક્ષા૬વ્યાપ્ય અનુગામીત્વ આદિ નથી પણ પરંપરાવ્યાપ્ય છે. તેથી વિભંગજ્ઞાનાવરણ આદિમાં અવ્યાપ્તિ નથી. આ અવધિજ્ઞાનાવરણ કર્મ દેશઘાતી છે. મતિજ્ઞાનાવરણની માફક બન્ને સ્થિતિ આ કર્મની જાણવી.
मन:पर्यवज्ञानावरणस्वरूपमाह
इन्द्रियानिन्द्रियनिरपेक्षसंज्ञिपञ्चेन्द्रियमनोगतभावज्ञापकप्रत्यक्षज्ञानावरणसाधनं
कर्म मनःपर्यवावरणम् । ६ ।