SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ " સૂત્ર-૧૨ જ્ઞાનાવરણ-દર્શનાવરણના ક્ષયોપશમથી કે ક્ષયથી થાય. ઈન્દ્રિય-મનની અપેક્ષા ન રાખતું હોય, અને કેવળ આત્માથી જ પ્રગટ થતું હોય તે અવધિ વગેરે પ્રત્યક્ષ છે. તત્ પ્રમાણે એ પ્રમાણે પ્રમાણની બે સંખ્યા જણાવી. બે સંખ્યાવાળા પ્રમાણના પરોક્ષ અને પ્રત્યક્ષ એમ બે વિષયને જણાવીને પ્રમાણ શબ્દના અર્થને જણાવતા ભાષ્યકાર કહે છે- જેના દ્વારા પદાર્થો જણાય તે પ્રમાણ, અર્થાત્ સત્ અને અસદ્ ઇત્યાદિ ભેદથી જીવાદિ પદાર્થો જેનાથી જણાય તે પ્રમાણ. કરણ અર્થમાં જુદું (મન) પ્રત્યય છે. જ્ઞાનવ્યક્તિની( ભિન્ન ભિન્ન જ્ઞાનની) અપેક્ષાએ પ્રમાનિ એ પ્રમાણે બહુવચનમાં નિર્દેશ છે. આ પ્રમાણે પરોક્ષ-પ્રત્યક્ષ એ બે પ્રમાણ છે એમ જણાવ્યું તેથી પ્રશ્નકાર પ્રશ્ન કહે છે કે શાસ્ત્રમાં બે પ્રમાણ છે એમ અમારાથી અવધારણ કરાયું છે, અન્યથા તત્ પ્રમાણે એ સૂત્રથી જણાવેલી પ્રમાણની બે સંખ્યા વ્યર્થ બને. તે બે પ્રમાણ ક્યા છે? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે- પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણ છે. પહેલાં પ્રત્યક્ષનો અને પછી પરોક્ષનો ઉલ્લેખ લોકરૂઢિથી છે. પ્રશ્ન- જો બે જ પ્રમાણો છે તો અનુમાન, ઉપમાન, આગમ, અર્થપત્તિ, સંભવ અને અભાવને પણ સાંખ્યો વગેરે કે આચાર્ય જેવા કેટલાક પ્રમાણ માને છે તો તેનું શું? અનુમાન વગેરે પ્રમાણો જ નથી કે અન્ય પ્રમાણો છે? એવો પ્રશ્નકારનો પ્રશ્ન પૂછવાનો આશય છે. અનુમાન લિંગથી પદાર્થનું દર્શન. (જેમકે ધૂમાડાથી અગ્નિનું દર્શન.) ઉપમાન=પ્રસિદ્ધ સમાનતાથી સાધ્યને સિદ્ધ કરવું. (જેમકે ગાયની સમાનતાથી ગવયને જાણવો.) આગમ=આપ્તપુરુષનો ઉપદેશ. અર્થાપત્તિ-જાણેલથી નહિ જાણેલાની કલ્પના કરવી. (જેમકે દિવસે ભોજન કરતો નથી છતાં પુષ્ટ છે એથી રાતે ભોજન કરે છે એવી કલ્પના કરવી.)
SR No.022485
Book TitleTattvarthadhigam Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages410
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy