SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ નાની ટીકા ઉપર વાચના આપવાનો નિર્ણય કર્યો. શાશ્વતી ઓળી આદિના દિવસો સિવાય ચાર માસ સુધી નિયમિત વાચના ચાલી. આ સમયે મેં શ્રી તત્ત્વાર્થસૂત્રની શ્રીહરિભદ્રસૂરિકૃત ટીકાનો અનુવાદ કરવાનો સંકલ્પ કર્યો પણ અન્ય ગ્રંથોના અનુવાદના કારણોસર આ અનુવાદ થઈ શક્યો નહિ. વિ.સં. ૨૦૬૪માં દહાણુ સ્ટેશનના ઇરાની રોડ ઉપર આવેલા ઉપાશ્રયમાં આનો અનુવાદ શરૂ કર્યો પણ તેમાં શારીરિક બિમારી આદિ ઘણા વિપ્નો આવ્યા. આમ છતાં વિઘ્નો રૂ૫ ખડકો સાથે અથડાતી કુટાતી પણ આ અનુવાદ નૌકા ઘણા વિલંબથી પણ પૂર્ણતાના કિનારે આવેલી જોઇને મારું મન હર્ષવિભોર બની જાય એ સહજ છે. આ અનુવાદમાં વિદ્વાનોને ઘણી ક્ષતિઓ દેખાશે, ક્યાંક વિસ્તારથી લખવાનું હોવા છતાં વિસ્તારથી ન લખ્યું હોય, ક્યાંક સંસ્કૃત શબ્દને અનુરૂપ ગુજરાતી શબ્દ લખવામાં ભૂલ કરી હોય, ક્યાંક ભાવાર્થ સમજવામાં નિષ્ફળ બન્યો હોઉં, ક્યાંક સૂત્ર-ટીકાનો અર્થ ખોટો થયો હોય ઇત્યાદિ ઘણી ક્ષતિઓ દેખાશે. આમ છતાં વિદ્વાનોને હું પૂ. ઉમાસ્વાતિ મહારાજાના શબ્દોમાં વિનંતી કરું છું કે પુત્રાપરાધવનમ મર્જયિતવ્ય વર્ધઃ સર્વમ્ (પ્રશમરતિ ગા.૩૧૨) પિતા પુત્રના અપરાધને માફ કરે તેમ વિદ્વાનોએ માફ કરવું. હું એક તરફ મારી બુદ્ધિની મંદતાને જોઉં છું બીજી તરફ આ અનુવાદને જોઉં છું તો મારી સામે “હું આ કેવી રીતે કરી શક્યો?' એવો પ્રશ્નાર્થચિહ્ન ખડો થાય છે પણ મારા ઉપકારી સિદ્ધાંત મહોદધિ પ.પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા અને નિઃસ્પૃહતામૂર્તિ પરમ ગુરુદેવ શ્રીહરસૂરીશ્વરજી મહારાજાની દિવ્ય કૃપાદૃષ્ટિનું સ્મરણ થતાં જ એ પ્રશ્નાર્થચિહ્ન અદશ્ય થઈ જાય છે. આથી આ પ્રસંગે એ બે મહાપુરુષોને હર્ષ ભરેલા હૃદયથી વંદન કરું છું તથા વર્ધમાનતપોનિધિ (વર્ધમાનતપ આયંબિલની ૧૦૦+ ૮૮ ઓળીના આરાધક) પૂ. ગુરુદેવ શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મ.ને પણ ભાવભર્યું નમન કરું છું.
SR No.022485
Book TitleTattvarthadhigam Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages410
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy