SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૩ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ ૩૭ અહીં જો તમે એમ પૂછો કે આત્મા સ્વતંત્ર હોવા છતાં પોતાના જ અહિતમાં કેમ પ્રવર્તે છે? તો તેનો પ્રત્યુત્તર કહેવાય છે- આત્મા કર્મથી મુગ્ધ કરાયેલો હોવાથી, જેવી રીતે વ્યાધિથી મુગ્ધ કરાયેલો જીવ અપથ્યમાં પ્રવર્તે છે તેવી રીતે, આત્મા પણ અહિતમાં પ્રવર્તે છે. પ્રશ્ન- કર્મથી મુગ્ધ બનેલો આત્મા એકાંતે કેવી રીતે સ્વતંત્ર હોય? ઉત્તર– આ દોષ અમને લાગતો નથી. કેમકે આત્મા એકાંતે સ્વતંત્ર છે એમ અમે સ્વીકારતા જ નથી. અમોએ કર્મસાપેક્ષા કર્મયુક્ત) જ આત્મા કર્તા છે એમ કહ્યું છે. કેવળ(નકર્મરહિત) સિદ્ધજીવ કર્મનો કર્તા નથી. કેવળ સિદ્ધજીવ કર્મનો કર્તા છે એમ અમોએ સ્વીકાર્યું નથી. આ પ્રમાણે કર્મથી જ પોતે કરેલા કર્મના ફળને અનુભવતા આત્માને જેની અપેક્ષાએ( જેના કારણે) કર્મફળ મળે છે તેને કહે છે- બંધ, નિકાચન, ઉદય અને નિર્જરાના કારણે કર્મફળ મળે છે. બંધ=કર્મનો સંબંધ. બંધ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચાર ભેદોથી ભિન્ન=ભેદવાળો છે. આ ભેદો હવે કહેવાશે. નિકાચન– આત્મપ્રદેશોની સાથે કર્મનું પોતાનું અલગ અસ્તિત્વ નષ્ટ થઈ જાય તે રીતે એકમેક થઈ જવું. ઉદય બંધાયા પછી ઉદયાવલિકામાં પ્રવિષ્ટ તે જ કર્મનો ઉદય થવો, અર્થાત્ ફળને અનુભવવું. નિર્જરા- ઉદયને(=કર્મફળને) અનુભવ્યા પછી તુરત કર્મ આત્માથી વિખૂટા પડી જાય તે નિર્જરા. પ્રશ્ન- કર્મફળ બંધાદિની અપેક્ષાથી કેમ મળે છે? ઉત્તર- જો બંધાદિ ન હોય તો કર્મફળ ન સંભવે. પ્રશ્ન- જીવ કર્મફળને ક્યાં અનુભવે છે? ઉત્તર– નરક-તિર્યંચોની યોનિમાં અને દેવ-મનુષ્યોના ભવમાં કર્મફળને અનુભવે છે.
SR No.022485
Book TitleTattvarthadhigam Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages410
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy