________________
રાક
દ્વતરાવ
(૩૭૮
ઉત્તરપક્ષ-અહીં “અહંત પદ એ વિશેષ્ય-વાચક પદ છે. માટે કોઈ જાતનો દોષ નથી.
વળી જો કેવલ ગુણોનું જ (લોકોદ્યોતકરત્વ-ધર્મતિર્થકરત્વજિનત્વ વિ. ગુણોનું જ) મહત્ત્વ (કીંમત) સ્વીકારવામાં આવે અને તેના આધારભૂત ગુણીરૂપ વ્યક્તિઓનું મહત્ત્વ (ફીમત) સ્વીકારવામાં ન આવે તો મિથ્યાત્વનો પ્રસંગ આવે, તે મિથ્યાત્વ પ્રસંગને દૂર કરવા અને ગુણ-આધારભૂત ગુણીરૂપ વ્યક્તિઓનું મહત્ત્વ, ગુણબરોબર જ છે એમ જાહેર કરવા માટે “અહંત’ આ પ્રમાણેનું વિશેષ પદ મૂકેલ છે. એ બરોબર વ્યાજબી આવશ્યક સાર્થક છે.
પૂર્વપક્ષ- જો તમોએ “અરિહંત' રૂપ પદનું-વિશેષ્ય પદનું મહત્ત્વ સંપૂર્ણ માનેલ છે તો “અરિહંતોને હું સ્તવીશ” એટલું જ બોલો ! શા માટે લોકોદ્યોતકર-ઘર્મતીર્થકર જિન એવા અરિહંતોને હું સ્તવીશ” એમ બોલો છો ! કારણકે, વચ્છેદ્યનો અભાવ હોઈ લોકોદ્યોતકર -ઘર્મતીર્થકરત્વ-જિનત્વ એ ત્રણ વિશેષણો વ્યાવર્તક બનતા નથી એટલે નિરર્થક-નકામા-અધિક છે.
ઉત્તરપક્ષ- આ તમારું કથન ગેરવ્યાજબી છે. કારણકે, “નામ વિગેરેથી અહિતો અનેક પ્રકારના છે. એટલે ભાવઅહંત ભિન્ન નામ આદિ અહંતો અહી વ્યવચ્છેદ (વ્યવરછેદયોગ્ય) છે.
તથાચ નામ આદિ અહંતોના લોકોદ્યોતકરત્વ-ધર્મતીર્થકરવ-જિનત્વ રૂપ વિશેષણો વાવર્તક હોઈ આવશ્યક સફલ-સાર્થક છે. જો આ વિશેષણો ન મૂક્યા હોત તો ભાવ અહંતભિન્ન નામ આદિ અહંતોનું અવશ્ય ગ્રહણ થઈ જાત એટલે ફક્ત ભાવઅહંતના ગ્રહણસારૂ આ વિશેષણો, વિશેષ ઉપયોગી છે.
- પૂર્વપક્ષ- “લોકોદ્યોતકર-ધર્મતીર્થકર અને જિન એવા અરિહંતોને હું સ્તવીશ” એટલું જ બોલો ! પરંતુ અરિહંતોનું જે “કેવલી એ પ્રમાણેનું વિશેષણ પદ છે તે બોલો ! કારણ કે, લોકોદ્યોતકરત્વ-ઘર્મતીર્થકરત્વજિનત્વ એ ત્રણ વિશેષણોથી વિશિષ્ટ અરિહંતોના કેવલિપણામાં વ્યભિચાર આવતો નથી. જ્યાં આ ત્રણ વિશેષણો છે ત્યાં અવશ્ય કેવલિપણું છે જ અથાત પૂર્વકથિત ત્રણ વિશેષણવાળા અરિહંતો કેવલીઓ જ હોય છે. જો પૂર્વકથિત ત્રણ વિશેષણવાળા હોય અને તે આત્માઓ અરિહંત ન હોય તો અરિહંતભિન્ન ત્રણ વિશેષણવાળા આત્માઓની વ્યાવૃત્તિ ખાતર ઉપયોગી કેવલિત્વ વિશેષણ બને ! પરંતુ એમ તો છેજ નહિ અથાત્ અહીં કોઈ વ્યભિચાર આવતો નથી કે જેથી આપેલું વિશેષણ સફલ બને !
વળી વ્યભિચારની હૈયાતી હોયે છતે જ વિશેષણ ગ્રહણની સફલતા છે. કહ્યું છે કે વ્યભિચાર
૧ નામણિમા બિનાના, વાણિબા પુખ નિબંહિમાગો શિખા શિખળીવા, બાવળિગા સમવસરણત્યા | ઋષભદેવ ઈત્યાદિ તીર્થકરનું જે નામ તે નામ જિનેશ્વર', અને જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા તે “સ્થાપનાજિન” તથા જિનેશ્વરના જીવ તે દ્રવ્ય જિન', અને સમવસરણમાં બેઠેલા તે “ભાવજિન” કહેવાય.
२ 'सम्भवव्यभिचाराभ्यांस्याविशेषणमर्थक्त्' यथा नीलो घट इत्यत्र घटस्य नीलता नीले घटे सम्भवति, पीतादिघटे व्यभिचरत्यतो घटस्य नील इति विशेषणमर्थक्त. 'यत्र विशेष्ये विवक्षितविशेषणस्य न सम्भवो नापि सम्भवासम्भवरूपो व्यभिचारस्तत्र तद्विशेषणोपन्यासो व्यर्थत्वानकार्य इत्यर्थः'
રહદનાક ધડાકાર
raid Hale